નરાનગર (અબડાસા), તા. 18 : આ ગામના જુવાનસિંહ
ભુરૂભા ડુંગરોજી સોઢા ભારતીય સેનામાં જોડાઇ ભરતી થતાં ગ્રામજનો, પરિવારજનો
તરફથી સન્માન કાર્યક્રમ યોજાયો હતો. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ એમ. જાડેજા,
પરષોત્તમગિરિ બાપુ (પિંગલેશ્વર મહાદેવ), સોભાળસિંગ
પીરદાદા - પીથોરાધામ, પૂર્વ શિક્ષક નરાનગર અને અખિલ કચ્છ નિર્વાશ્રિત
સોઢા પુનર્વસવાટ સમિતિના પ્રમુખ રામસિંહ સોઢા, નેત્રા સરપંચ બહાદુરસિંહ
જાડેજા, પૂર્વ કારોબારી ચેરમેન અબડાસા - મહેશોજી સોઢા,
પૂર્વ ચિટનીશ ટુ ધી કલેક્ટર પીરદાનસિંહ એમ. સોઢા ઉપસ્થિત રહ્યા હતા.
મંચસ્થ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જુવાનસિંહ ભુરૂભા ડુંગરોજી સોઢાનું
ગામમાં આગમન થતાં ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનું આયોજન સરપંચ ચંદ્રસિંહ
એમ. સોઢાએ સંભાળ્યું હતું. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહએ યુવા પેઢીના યુવાનોને ભારતમાતા-
રાષ્ટ્રની સેનામાં જોડાવા અપીલ કરી હતી.