ખાવડા, તા. 18 : ગામમાં દિન-પ્રતિદિન ચોરીઓનું
પ્રમાણ વધી રહ્યું છે, આથી લોકોમાં
ચિંતા પ્રસરી છે. થોડા દિવસ પહેલાં બજારમાં ખાવડા લોહાણા મહાજનની ઓફિસમાં પાછલી બારીમાંથી
પ્રવેશ કરીને તેમાં રહેલા દફતરને ચૂંથી નાખવામાં આવ્યું, પણ તેમાં
કોઈ કિંમતી વસ્તુઓ ન હોતાં પ્રયાસ નિષ્ફળ થયો હતો, જ્યારે બે
દિવસ પહેલાં ખાવડાની મધ્ય બજારમાં આવેલા મૂરલી મનોહર મંદિરનાં તાળાંને તોડવાની કોશિશ
કરવામાં આવતાં તાળું ન તૂટતાં બારણાને તોડીને કોઈ અસામાજિક તત્ત્વ પ્રવેશ કરીને ચોરીનો
નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, તેમાંથી પણ તેને કોઈ કિંમતી વસ્તુ મળી
નહોતી. જ્યારે આજે સવારે પ્રમુખસ્વામી નગરના ગેટ પાસે પાર્ક કરેલી પૂર્વ સરપંચ પ્રાણલાલ
ઠક્કર પાણીના ટેન્કરમાંથી ડીઝલ ટાંકીનું તાળું તોડી અંદાજે 100 લિટર જેટલા ડીઝલની ચોરી કરવામાં
આવી છે. આ ત્રણેય બાબત અંગે ખાવડા પોલીસ સ્ટેશનમાં
લેખિતમાં જાણ કરવામાં છે. હવે છાશવારે ચોરીઓનું પ્રમાણ વધતું હોવાથી પોલીસ તંત્રે સાવધ
રહેવાની જરૂર છે. મહદઅંશે અસમાજિક તત્ત્વો દ્વારા સામાજિક અને ધર્મ સ્થાનોને નિશાન
બનાવી રહ્યા છે.