ભુજ, તા. 5 : પર્યાવરણનું જતન અને સ્વચ્છતા
હેતુ વૈશ્વિક સ્તરે સામાજીક જાગૃતિ લાવવા વિશ્વમાં ઉજવતા પર્યાવરણ દિને સાંસદ તથા સમાજ
નવનિર્માણ ટ્રસ્ટ-ભુજના પ્રમુખ વિનોદભાઈ ચાવડા અને અંગદાન પ્રણેતા દિલીપભાઈ દેશમુખ
દ્વારા આજે જ્યુબીલી સર્કલ ખાતે સિંદુરના રોપા વિતરણ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન
નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી `ઓપરેશન સિંદુર'ની સફળતા રાષ્ટ્રની રક્ષા-વિર જવાનોની વીરતાની
અભિવ્યક્તિ રજૂ કરતાં સિંદુરના છોડ વાવી સદૈવ આપણને પર્યાવરણ સંરક્ષણ-સ્વચ્છતા અભિયાન
માટે જાગૃતતા થાય માટે આજે સિંદુરના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ
વરચંદ, ગુ. પ્રદેશ ભાજપ મીડિયા યગ્નેશભાઈ દવે, મહામંત્રી ધવલભાઈ આચાર્ય, મીત ઠક્કર, રાહુલ ગોર, પારૂલબેન કારા, હસ્મિતાબેન
ગોર, તાપશ શાહ, મહીદીપસિંહ જાડેજા,
અનવર નોડે, માવજીભાઈ ગુંસાઈ, મનીષાબેન સોલંકી, રવિભાઈ નામોરી, જયંત ઠક્કર, નગર સેવકો યુવા મોર્ચા, મહિલા મોર્ચા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.