કોડાય (તા. માંડવી), તા. 5 : વીરાયતન ઈન્સ્ટિટ્યૂટ
ઓફ ફાર્મસી ખાતે આવેલી ફાર્મસી કોલેજમાં સાયબર ક્રાઇમ તથા સાયબર સિક્યુરિટીની જાગરૂકતા
અંગે સેમિનાર યોજાયો હતો. જખણિયા વીરાયતન ખાતે હર્ષભાઈ દેવમણિ (પીએસઆઈ સાયબર ક્રાઇમ
સેલ - ભુજ) વિભાગની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલા જાગૃતિ સેમિનાર અંતર્ગતં વીરાયતન - કચ્છના વિવિધ વિભાગો જેવા કે ફાર્મસી, એન્જિનીયરિંગ, વિદ્યાપીઠ,
બીબીએ, બીસીએના આચાર્ય, સ્ટાફગણ
તથા વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમની માહિતી અપાઇ હતી. શ્રી દેવમણિએ વિદ્યાર્થીઓને મોબાઇલ
પર થતી છેતરપિંડીને લગતી માહિતી આપી હતી તેમજ બચાવ અંગે જાગરૂકતા કેળવવા જણાવ્યું હતું
સ્થાપક આચાર્ય પદ્મશ્રી ચંદનાજી તથા વડા સાધ્વી શિલાપીજી મ.સા.ના દિશા - નિર્દેશન મુજબ
પ્રોફેસર ડો. મહેશ સેંઘાણી દ્વારા કોલેજના એનએસએસ યુનિટ અંતર્ગત કાર્યક્રમનું આયોજન
કરાયું હતું સંચાલન રવિભાઈ વૈષ્ણવે કર્યું
હતું.