ભુજ, તા. 5 : ભુજ ક.વી.ઓ. જૈન સંઘ સંચાલિત
ભગવાન મુનિસુવ્રત સ્વામી જિનાલય વિજયનગર અને સ્વામી જિનાલય નવનીત નગર, કોવઈ નગર બંને જિનાલયના ત્રિ-દિવસીય ધ્વજારોહણ
કાર્યક્રમમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરાઈ હતી. ગુણસાગરસૂરિશ્વરજી મ.સા.ની કૃપાથી
ગુણોદયસાગરસૂરિશ્વરજી મ.સા., કલાપ્રભસાગરસૂરિશ્વરજી મ.સા.,
કવીન્દ્રસાગરસૂરિશ્વરજી, મહોદયસાગસૂરિશ્વરજી મ.સા.ના
આશીર્વાદથી સાધ્વી મનહરજી મ.સા. શિષ્યા સૌમટલતાજી મ.સા. મુખ્ય સાધ્વી વસંતપ્રભાજી શિષ્યા
સાધ્વી કુમુદકિરણાજી મ.સા.ના શિષ્યા સાધ્વી દિવ્યગુણાજી મ.સા. અને સાધ્વી તીર્થપ્રભાજી
મ.સા. આદિ ઠાણા-3ની નિશ્રામાં
2025 વર્ષની વિજયનગર રથાકાર જિનાલય
ખાતે ધ્વજારોહણ/પ્રભાવનાનો લાભ માતા લક્ષ્મીબેન જગશી ચાંપશી છેડા, તારાચંદભાઈ છેડા હસ્તે હંસાબેન તારાચંદ છેડા
પરિવારે લીધો હતો. નવનીત નગર, કોવઈનગર ખાતે આવેલા જિનાલયના 2025 વર્ષના ધ્વજારોહણનો લાભ માતા
રમીલાબેન હીરજી નાગડા, માતા કુંવરબાઈ
કુંવરજી રવજી ગોસર હસ્તે નિર્મળાબેન કિશોરભાઈ નાગડા-નરેડી હાલે ભુજ પરિવારે લીધો હતો.
આ પ્રસંગે સાધ્વી તીર્થપ્રભાજી મ.સા.એ અહિંસા પરમો ધર્મની જ્યોત વધુમાં વધુ લોકો સુધી
પહોંચાડવા અપીલ કરી હતી. આ પ્રસંગે ભગવાનમુનિસુવ્રત સ્વામી નીરણ કેન્દ્રનું ઉદ્ઘાટન
કરાયું હતું. શ્રી છેડાએ જણાવ્યું કે, જીવદયા એ જૈનોની કુળદેવી
છે તેને અનુસરી યથાશક્તિ દાનની અપીલ કરી હતી. સ્થળ પર એક લાખથી વધુ રકમ એકત્રિત થઈ
હતી. વિજયનગર જિનાલય ખાતે ચંદ્ર દર્શનનો લાભ માતા લક્ષ્મીબેન લક્ષ્મીચંદ વોરા પરિવાર,
સૂર્યદર્શનનો લાભ ભાવેશભાઈ શાહ પરિવાર, આરતી-દીવાનો
લાભ મણિબેન તારાચંદભાઈ દેઢિયા પરિવાર, પ્રથમ પૂજાનો લાભ કાંતાબેન
રમેશચંદ્ર શાહ પરિવારે લીધો હતો. નવનીતનગર, કોવઈ નગર જિનાલય ખાતે
સૂર્ય-ચંદ્ર દર્શનનો લાભ હેત લક્ષ્મીકાંતભાઈ પ્રેમજી કરાણી પરિવારે, આરતીનો લાભ નીતાબેન રાજેશભાઈ ગોગારી પરિવારે, દીવાનો
લાભ પ્રિશા કુશલ મારૂ પરિવારે, પ્રથમ પૂજા રેખાબેન લક્ષ્મીચંદ
વિકમાણી પરિવારે લીધો હતો.