• શનિવાર, 07 જૂન, 2025

સ્મૃતિવન મિયાવાકી ફોરેસ્ટમાં પર્યાવરણ દિન ઉજવાયો

ભુજ, તા. 5 : અહીંના સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી મિયાવાકી પદ્ધતિ દ્વારા વિકસિત એશિયાના સૌથી મોટા જંગલમાં ફરવા સાથે સાથે વિવિધ વનસ્પતિઓની ઓળખ કરવામાં આવી ચેકડેમની મુલાકાત લેવામાં આવી વિવિધ જીવસૃષ્ટિઓ જેમાં અનેક પ્રકારના પતંગિયા પક્ષીઓ નાના નાના જીવજંતુઓ ચેકડેમના પાણીમાં રહેલ માછલીઓનું નિદર્શન દિનેશભાઈ મચ્છર દ્વારા કરવામાં આવ્યું તેમજ  મહાનુભાવો હાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું  જાણીતા પર્યાવરણવિદ મનોજભાઈ સોલંકી, અખિલેશ ભાઈ અંતાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ની વ્યવસ્થા અને આયોજન સ્મૃતિવનના ડાયરેક્ટર મનોજભાઈ પાંડેના માર્ગદર્શન કરાયું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd