બેંગ્લુરુ તા.5 : આઈપીએલમાં ખિતાબની જીતના જશ્ન વખતે બેંગ્લુરુમાં મચેલી ભાગદોડમાં
11 પ્રશંસકના મૃત્યુ મામલે હાઈકોર્ટે
કર્ણાટક સરકારને નોટિસ ફટકારી છે. દરમિયાન કર્ણાટક પોલિસે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
(આરસીબી), ડીએનએ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની અને કર્ણાટક
ક્રિકેટ એસોસીએશન વિરૂદ્ધ એફઆઈઆર નોંધી છે જેમાં ત્રણેય પર વિજય પરેડ વખતે ગુનાહિત
બેદરકારી દાખવ્યાનો આરોપ લગાવાયો છે. દુર્ઘટનાને લઇને ટીકાઓથી ઘેરાયેલા મુખ્યમંત્રી
સિદ્ધારમૈયએ ભાગદોડ બદલ પોલીસ કમિશનર,
અધિક પોલીસ કમિશનર, સ્ટેશન હાઉસ માસ્ટર,
ઇન્સ્પેક્ટર સહિત આઠ અધિકારીને સસ્પેન્ડ કર્યા છે. રાજય સરકારે કોર્ટને જણાવ્યું કે ભાગદોડની
તપાસ સીઆઈડીને સોંપવામાં આવી છે જે 1પ દિવસમાં રિપોર્ટ સોંપશે. આ સિવાય એક એસઆઈટી પણ ઘડવામાં આવશે.
રાજયના એટોર્ની જનરલે કોર્ટને કહ્યું કે સરકારે બનાવને ગંભીરતાથી લીધો છે અને ફરી આવું
ન બને તે માટે એસઓપી ઘડવામાં આવશે. રાજય સરકારે
રજૂઆત કરી કે સ્ટેડિયમ પાસે ર.પ લાખથી વધુ લોકો એકઠા થયા હતા. બેંગ્લુરુ શહેર પોલિસના
1380 અને 13 કેએસઆરપી પ્લાટૂનના 3રપ જવાનોની વ્યવસ્થા છતાં બેકાબૂ ભીડને
કારણે બનાવ બન્યો હતો. ઈજાગ્રસ્તોને તુરંત સારવાર અપાઈ હતી. જેમાં પ0ને રજા અપાઈ છે અને 6 હજુ સારવાર હેઠળ છે. બીજીતરફ આરસીબીએ હતભાગી
પરિવારો માટે અલગથી 10-10 લાખની સહાય
જાહેર કરી છે. આ પહેલા રાજય સરકાર 10-10 લાખનું વળતર જાહેર કરી ચૂકી છે. કર્ણાટક ક્રિકેટ સંઘ પ લાખની
વધારાની સહાય કરશે. કર્ણાટકમાં નોંધાયેલી એફઆઈઆર અનુસાર નાસભાગનો બનાવ અવ્યવસ્થા અને
જવાબદાર એજન્સીઓની ગેરવ્યવસ્થાને કારણે બન્યો છે. ગુરુવારે હાઈકોર્ટમાં સુનાવણી થતાં
એકિટંગ ચીફ જસ્ટિસ વી.કામેશ્વર રાવ અને જસ્ટિસ સીએમ જોશીની ખંડપીઠે રાજય સરકારને બનાવ
પર સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો. વધુ સુનાવણી 10 જૂને થશે. અરજદારના વકીલે કોર્ટને
કહયું કે રાજય સરકારે એ જણાવવું જોઈએ કે આરસીબીના
ખેલાડીઓને સન્માનિત કરવાનો નિર્ણય કોણે લીધો હતો
? જે ખેલાડી દેશ માટે રમતાં નથી તેમને સન્માનિત કરવાની શું મજબૂરી હતી
? રાજય સરકારે વ્યવસ્થામાં તૈનાત કર્મચારીઓનો આંક કોર્ટને 1380 ઉપરાંત 3રપ હોવાનું જણાવ્યું પરંતુ એક દિવસ પહેલા
નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારે પ000ની તૈનાતીનો દાવો કર્યો હતો. અન્ય ઘટનાક્રમમાં કેન્દ્રિય મંત્રી
અને ભાજપા નેતા શોભા કરંદલાજે કર્ણાટક હાઈકોર્ટને પત્ર લખી આ મામલે સ્વયં સંજ્ઞાન લઈ
કાર્યવાહી કરવા આગ્રહ કર્યો છે. તેમણે આરોપ
લગાવ્યો કે બનાવ વ્યવસ્થાગત નિષ્ફળતા છે અને રાજય સરકારની જવાબદારી સંપૂર્ણ રીતે ખતમ
થઈ ગયાનું પરિણામ છે.