• શુક્રવાર, 27 જૂન, 2025

અકસ્માતમાં મૃત્યુ પામનારને વધારાની વળતર આપવા હાઈકોર્ટનો હુકમ

ભુજ, તા. 26 : બે દાયકા બાદ અકસ્માતમાં ભોગ બનેલાના વારસદારોને વળતર ચૂકવાવનો હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો. ધના બેચરા ટ્રક નંબર જીજે-12-વી-5951વાળી ચલાવી સુરતથી ભુજ આવતા હતા. પોતાની ટ્રક રસ્તાની સાઈડમાં ધીમી ગતિથી ચલાવીને જતા હતા ત્યારે વહેલી સવારે વાંકાનેર નજીક પહોંચી સામેની બાજુએથી એક ટ્રક આવતી હતી. ટ્રકના ચાલકે ટ્રકને ખૂબ જ ઝડપથી બેદરકારીથી અને લોકોની જિંદગી જોખમાય તે રીતે ચલાવીને અકસ્માત કર્યો હતો. અકસ્માતમાં ધના બેચરા બરાડિયાને ગંભીર ઈજાઓ થતાં બનાવ સ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. વળતરની અરજીવાળા કામે વિમા કંપની તરફથી સંખ્યાબંધ તકરારો લેવામાં આવી પરંતુ મૃત્યુ પામનારની ભવિષ્યની આવક તેમજ અન્ય મળવાપાત્ર વળતરની રકમ અંગે અરજદાર તરફે રજૂ થયેલા પુરાવા, દલીલો, ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના સંખ્યાબંધ ચુકાદાઓ રજૂ કરવામાં આવ્યા હતા. ટ્રિબ્યૂનલે ફક્ત ગુજરનારની આવક જ ધ્યાનમાં લીધી, પરંતુ ભવિષ્યની આવકમાં વધારો ધ્યાનમાં લીધો નહીં. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ અરજદારના એડવોકેટ તરફથી રજૂ થયેલા ચુકાદાને ધ્યાનમાં લઈ દલીલો કરી  હતી. આખરે અપીલમાં પણ ગુજરાત હાઈકોર્ટે ગુજરનારના વારસોને સુપ્રીમ કોર્ટના ચુકાદામાં પ્રતિપાદિત કરેલા સિદ્ધાંત મુજબ વિસ્તૃત છણાવટ કરી રૂા. 2,42,000 સહિત ગુજરનારની ભવિષ્યની આવકની નુકસાનીની રકમ વધારીને વધારાની વળતરની રકમ કુલ્લે રૂા. 4,91,400 અરજી રજૂ કર્યા તારીખથી વ્યાજ તેમજ ખર્ચ સહિત કુલ રૂા. 12.81 લાખ ચૂકવવાનો હુકમ કરાયો હતો. વળતરની અરજીમાં અરજદારના એડવોકેટ તરીકે ભુજના ધારાશાત્રી રાજેશ પ્રેમજીભાઈ ઠક્કર તથા હાર્દિક એન. જોબનપુત્રા હાજર રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd