ભુજ, તા. 27 : ગઈકાલે સવારે માંડવીના પાંજરાપોળ
રોડ ઉપર આશરે 55 વર્ષીય સાધ્વી મહિલાને લોહીની
ઉલટી થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. 26/7ના સવારે માંડવીમાં પાંજરાપોળ રોડ નોવેલ્ટી સ્ટુડિયો નીચે એક
અજાણી સાધ્વી મહિલા (ઉ.વ. આશરે 55)ને અચાનક
લોહીની ઉલટી થતા તે પથારીમાં જ ઢળી પડયા હતા. આ બનાવ અંગે નિવૃત્ત અને સત્સંગી એવા
રાજેન્દ્રગર ગોસ્વામીએ માંડવી પોલીસ મથકે વિગતો જાહેર કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો
દાખલ કરી આ મૃતક અજાણી સાધ્વીની ઓળખ જાણવા છાનબીન આદરી છે.