• મંગળવાર, 28 જુલાઈ, 2026

અંજારના ઐતિહાસિક સવાસરનાકા તળાવમાં ભેદીરીતે માછલીઓના મોતથી ચકચાર

અંજાર, તા. 27 : અહીંના સવાસરનાક ા તળાવમાં મોટીસંખ્યામાં કોઈકારણોસર ભેદીરીતે માછલીઓના મૃત્યુ સામે જાગૃતિ નાગરીકોએ પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. રાજાશાહી વખતના ઐતિહાસિક સવાસરનાકા તળાવના કિનારામાં એકાએક મોટીસંખ્યામાં મૃત માછલીઓ નજરે પડી હતી.તળાવામાં ફેકાતી પ્લાસ્ટીક અને પાલિકા ધ્વારા જાળવણીના અભાવે આ પ્રકારનો આ બનાવ બન્યો હોવાનો આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા. પૂર્વવિપક્ષી નેતા જિતેન્દ્રભાઈ ચોટારાએ આક્ષેપો કરતા જણાવ્યુ હતુ કે અંજાર નગરપાલિકા શહેરની સ્વચ્છતા જાળવવા અને ગામના તળાવોની સફાઈ સાથે તેની જાળવણી કરવામાં નિષ્ફળ નીવડી છે.લોકોના સ્વાસ્થ્યને સ્પર્શતા આ મુદે પાલિકા સત્વરે તળાવની સફાઈ કરવા તેમણે માંગ કરી હતી. આ ઉપરાંત આ તળાવની સફાઈ સાથે તળાવના પાણીના નમૂનાઓની તપાસ કરી યોગ્ય કરવા સ્થાનિકોએ માંગ કરી છે.

Panchang

dd