ચેન્નાઈ,
તા. 4 : આઇપીએલ પદાર્પણના
એક દિવસ પછી જ સીએસકેનો ઝડપી બોલર રામકૃષ્ણ ઘોષ આઇપીએલની બહાર થયો છે. તેના પગમાં ફ્રેક્ચર
થયું છે. તેને મુંબઈ ઇન્ડિયન્સ સામે શનિવારે રમાયેલી મેચમાં ઇજા થઈ હતી. રામકૃષ્ણ ઘોષે
ડેબ્યૂ મેચની બીજી ઓવરમાં સૂર્યકુમાર યાદવની વિકેટ લીધી હતી. મહારાષ્ટ્રનો આ ઝડપી બોલર
30 લાખના કરારથી સીએસકે ટીમમાં સામેલ થયો હતો. સીએસકે
ટીમ હાલ પોઇન્ટ ટેબલ પર 8 અંક સાથે 6 નંબર પર છે.