• બુધવાર, 21 મે, 2025

આઈપીએલ સ્થગિત થતાં બોર્ડને કરોડોનો ફટકો

નવી દિલ્હી, તા. 10 :  ભારત અને પાકિસ્તાન વચ્ચે  યુદ્ધવિરામ જાહેર થયો છે પણ નાપાક ગોળીબાર અને ડ્રોન હમુલા જારી છે ત્યારે આઈપીએલ પરના સવાલ યથાવત છે.  આઈપીએલ સ્થગિત થવાના કારણે મોટાપાયે નુકસાન પણ થઈ રહ્યું છે. આ ઝટકો બીસીસીઆઈ કે આઈપીએલ જ નહી પણ તેના સંબંધિત તમામ લોકોને મળી રહ્યો છે. જેમાં વેંડર્સ, આઈપીએલ મેચ ધરાવતા શહેરો અને અન્ય વેપારીઓ પણ સામેલ છે. એક અનુમાન અનુસાર આઈપીએલ આ રીતે સ્થગિત થવાના કારણે બીસીસીઆઈને પ્રતિ મેચ અંદાજીત 100થી 125 કરોડ રૂપિયાનો ફટકો પડી શકે છે. આઈબીએલની ગવર્નિંગ કાઉન્સીલ પુરી કોશિશ કરી રહી છે કે આઈપીએલ ફરીથી બને તેટલી ઝડપથી શરૂ કરી શકાય. જો કે ફરીથી શરૂ થયા બાદ તે આગળ કેવી રીતે વધશે તે પણ જોવા જેવી બાબત છે. કારણ કે તમામ ફ્રેન્ચાઈઝીમાં વિદેશી ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફની સંખ્યા ખુબ વધારે છે. ભારત-પાકિસ્તાન તણાવ વધતા સ્ટાફને બીસીસીઆઈ ઉપર ખુબ જ ભરોસો છે. તેવામાં વિદેશી ખેલાડી કે સ્ટાફને નેશનલ ડયુટી વચ્ચે ન આવે તો બાકી રહેલા મેચો રમવા ઈચ્છશે. બીસીસીઆઈની પહેલી પ્રાથમિકતા મે મહિનામાં જ આઈપીએલ પુરો કરાવવાની છે. જો મે મહિનામાં શક્ય ન બને તો ઓગસ્ટ અને સપ્ટેમ્બરની વિન્ડો છે. જો કે આ માટે ભારતે બંગલાદેશ ટૂર ને ટી20 એશિયા કપ કાર્યક્રમ રદ કરવો પડી શકે છે. એક આશંકા એવી પણ છે કે જો સ્થિતિ નિયંત્રણમાં ન આવે તો આઈપીએલ 2025 પુરી રીતે રદ થઈ શકે છે. આવી સ્થિતિમાં મેજબાન પ્રસારકોએ અંદાજીત 5500 કરોડના રાજસ્વનો મોટો હિસ્સો છોડવો પડશે. જેની તમામ ફ્રેન્ચાઈઝી ઉપર અસર પડશે. આ ઉપરાંત ગેટ કલેક્શનનો મમલો પણ છે. ચાર પ્લેઓફ મેચનું ગેટ કલેક્શન આઈપીએલ, બીસીસીઆઈની પ્રોપર્ટી બનશે. જ્યારે સાત હોમ લીગ મેચના ગેટ કલેક્શનની રમ તે શહેરની ફ્રેન્ચાઈઝી પાસે જશે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd