વવાર, (તા.
મુંદરા), તા. 18 : મુંદરા તાલુકાનાં વવારને વડાલાથી જોડતા મહત્ત્વપૂર્ણ રસ્તાને
ડામરથી મઢવાની વર્ષો જૂની બંને ગામની માગણી જૈસે થે સ્થિતિમાં છે. ચોમાસાંમાં આ રસ્તો બંધ હાલતમાં જ થઈ જાય ને માત્ર ચાર મહિના જ ખુલ્લો રહે છે. ભારે વરસાદ પડી
ગયા પછી તો આ રસ્તો આઠ મહિના બંધ હાલતમાં હોય
છે. વચ્ચે મોટી નદી અને બે-ત્રણ પાણીના મોટા છેલાઓ છે. વરસાદમાં રસ્તો બંધ થતાં 12થી 13 કિલોમીટરનો ફેરો પડે છે.
આ રસ્તો કાચો છે, પણ શ્રમિકો,
મેડિકલ, વિદ્યાર્થીઓને બહુ ઉપયોગી છે. સ્થળ પરથી જાગૃત નાગરિકોએ રોષ સાથે
વધુમાં જણાવ્યું હતું કે, ઉપયોગી છે, છતાં તંત્ર ધ્યાન નથી દેતું. થોડા વરસાદમાં જ આ રસ્તાને ગાંડા
બાવળો ઘેરી વળે છે. આ રસ્તા પર જ બંને ગામના આસ્થાના પ્રતીકસમા ખેતરપાળ દાદાનું મંદિર
છે એટલે શ્રદ્ધાળુઓની પણ અવરજવર હોય છે. જો
આ રસ્તો ડામરનો થાય તો બંને ગામની સમસ્યાઓ દૂર થઈ જાય એમ છે. (અહેવાલ-તસવીર
: માણેક ગઢવી)