• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

સૌરાષ્ટ્ર-પંજાબ રણજી મેચના પ્રથમ દિવસે 23 વિકેટનો કડૂસલો

રાજકોટ તા.22 : અહીંનાં નિરંજન શાહ સ્ટેડિયમનાં ગ્રાઉન્ડ સીની ટર્નિંગ પિચ પર સૌરાષ્ટ્ર-પંજાબ વચ્ચેની રણજી ટ્રોફી મેચના પ્રથમ દિવસે 23 વિકેટનો કડૂસલો થયો હતો. પંજાબનો કપ્તાન અને ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટર શુભમન ગિલ ખાતું પણ ખોલાવી શકયો ન હતો, તો સૌરાષ્ટ્રનો સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા સાત રનના આંકડે પહોંચી શકયો હતો. સૌરાષ્ટ્ર ટીમ પહેલા દાવમાં 172 રને ઓલઆઉટ થઇ હતી. જ્યારે પંજાબનો પહેલો દાવ 139 રને સમાપ્ત થયો હતો. પહેલા દિવસની રમતના અંતે સૌરાષ્ટ્રે બીજા દાવમાં 24 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આથી તે હવે પ7 રને આગળ છે અને સાત વિકેટ હાથમાં છે. સૌરાષ્ટ્ર તરફથી જય ગોહિલે 82 રન, પ્રેરક માંકડે 32 રન કર્યા હતા.  આ પછી દાવમાં આવેલી પંજાબ ટીમ પણ સ્પિન જાળમાં ફસાઇને 40.1 ઓવરમાં 139 રને ઢેર થઇ હતી. આથી સૌરાષ્ટ્રને 33 રનની સરસાઇ મળી હતી. પંજાબનો કેપ્ટન શુભમન ગિલ બે દડાનો સામનો કરી ઝીરોમાં આઉટ થયો હતો. પ્રભસિમરને 44, ઉદય સહરાને 23 અને અનમોલપ્રિતે 3પ રન કર્યા હતા. સૌરાષ્ટ્ર તરફથી પાર્થ ભુતને 33 રનમાં પાંત વિકેટ મળી હતી. રવીન્દ્ર જાડેજા અને ધર્મેન્દ્ર જાડેજાને 2-2 વિકેટ મળી હતી. સૌરાષ્ટ્રે બીજા દાવનો પણ નબળો પ્રારંભ કરીને પહેલા દિવસના અંતે છ ઓવરમાં 24 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.  

Panchang

dd