• મંગળવાર, 04 નવેમ્બર, 2025

નેપાળમાં હિમસ્ખલનથી સાત પર્વતારોહકનાં મોત

કાઠમંડુ, તા. 3 : નેપાળમાં સોમવારે યાલુંગ-21 નામે સાડા પાંચ હજાર મીટરથી વધુ ઊંચા શિખર પર બરફનો પહાડ તૂટતાં સર્જાયેલી ભયાનક ઘટનામાં સાત પર્વતારોહીઓના મોત થઇ ગયા હતા. ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં 5630 મીટર ઊંચાઇએ હિમસ્ખલન થતાં અન્ય ચાર લોકો લાપતા બન્યા હતા. મૃતકોમાં ત્રણ અમેરિકી, બે નેપાળી, એક-એક કેનેડા અને ઇટાલીના નાગરિક સામેલ છે. આ વિસ્તાર બાગમતી પ્રાજાની ચેલવાલિંગ વેલીમાં છે. આજે સવારે 15 પર્વતારોહકોની એક ટીમ ગૌરીશંકર અને યાલુંગ-રી તરફ આગળ વધી રહી હતી ત્યારે હિમસ્ખલનની લપેટમાં આવતાં સાત જણે જીવ ખોયા હતા. સ્થાનિક વોર્ડ નેતા સિંગગેલી શેરપાએ કહ્યું હતું કે, સવારથી જ પ્રશાસનને મદદ માટે જાણ કરાઇ હતી, પરંતુ બચાવ અભિયાન મોડેથી શરૂ થયું હતું. નેપાળી સેના, પોલીસ, સશત્ર દળોને  બચાવ અભિયાનમાં તૈનાત કરવા સાથે એક હેલિકોપ્ટર પણ મોકલાયું હતું. યાલુંગ-21 નેપાળ-ચીન સીમાની નજીક છે. 2015ના ભૂકંપ પછી પણ આ શિખર પર અનેક પર્વતારોહી જીવ ખોઇ ચૂકયા છે. 

Panchang

dd