• મંગળવાર, 04 નવેમ્બર, 2025

9.50 કરોડનો અંડર બ્રિજ લોકાર્પણ પહેલાં જ પાણીમાં ગરકાવ : ડિઝાઇન સામે સવાલો

અંજારના વરસામેડી નાકા પાસે તાજેતરમાં જ 9.50 કરોડના માતબર ખર્ચે નવનિર્મિત અંડર બ્રિજની કામગીરી અને તેની ડિઝાઇન સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આશ્ચર્યની વાત એ છે કે, હજુ સુધી આ બ્રિજનું સત્તાવાર રીતે લોકાર્પણ પણ કરવામાં આવ્યું નથી, ત્યાં જ માત્ર 3 ઇંચ વરસાદમાં સમગ્ર અંડર બ્રિજ પાણીથી તરબોળ થઈ ગયો હતો. બ્રિજ પાણીથી લબાલબ ભરાઈ જતાં અનેક નાનાં વાહનો અટવાયાં હતાં. ઉલ્લેખનીય છે કે, આ બ્રિજના નિર્માણકાર્ય અગાઉ પણ અનેક જાણકારો અને સ્થાનિકોએ બ્રિજની ડિઝાઇન અને ચોમાસા દરમિયાન પાણી ભરાવવાની સમસ્યા અંગે અગાઉથી જ શક્યતાઓ વ્યક્ત કરી હતી. જો કે, તે સમયે આ રજૂઆતો પર તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં ન આવ્યું હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કરોડોના ખર્ચે બનેલો બ્રિજ પહેલા જ વરસાદમાં પાણીથી ભરાઈ જતાં, તેની ગુણવત્તા અને આયોજન સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.  

Panchang

dd