• બુધવાર, 21 મે, 2025

કંડલા બંદરે સાંજે ઓપરેશન શરૂ થયા બાદ રાત્રે બ્લેકઆઉટ

ગાંધીધામ, તા. 10 : ભારત-પાકિસ્તાનની સરહદે વધતા  તણાવ વચ્ચે  કચ્છના જુદા-જુદા શહેરોમાં ડ્રોનને  નષ્ટ કરાયા  હોવાના ઘટનાક્રમ દરમ્યાન દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા કંડલા પોર્ટમાં તકેદારીના ભાગરૂપે આજે બપોરથી ઓપરેશન બંધ કરવામાં આવ્યુ હતું. ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની મંત્રણા બાદ ત્રણ કલાક 5છી પોર્ટની કામગીરી પુન: ધમધમતી થઈ હતી. જો કે રાત્રે ફરી એકવાર કલેક્ટરે બ્લેકઆઉટનો આદેશ જારી કરતાં કંડલા પોર્ટ પર પણ તેનો અમલ શરૂ કરાયના સત્તાવાર અહેવાલ મળી રહ્યા છે. બંને દેશની સરહદ ઉપર અજંપાભરી સ્થિતિ નિર્માણ  પામી છે. આ સ્થિતિમાં વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે  લોકોની  સુરક્ષા માટે વિભિન્ન પ્રકારની સુચના જાહેર  કરવામાં આવી છે. ઉચ્ચકક્ષાએ  હાઈએલર્ટનાં પગલે કંડલા પોર્ટમાં  આજે બપોરે 3 વાગ્યાથી ઓપરેશનની કામગીરી બંધ કરવામાં આવી હતી. પોર્ટ બંધ કરવાના આદેશને પગલે વાહનોને   પોર્ટમાંથી બહાર કાઢવા અને પોર્ટ ખાલી કરવા સહિતની કામગીરી આરંભાઈ હતી. આજે બપોરે કંડલા પોર્ટ તરફ જતા રસ્તા ઉપર  ટ્રાફિકજામ થયો હોવાનાં દૃશ્યો પણ સોશિયલ મીડિયાનાં માધ્યમ ઉપર વહેતાં થયાં હતાં. આજે સાંજના અરસામાં બંને દેશ વચ્ચે  સીઝફાયર અંગે સત્તાવાર રીતે જાહેરાત કરાઈ હતી. જેને પગલે તમામ પરિસ્થિતિ રાબેતા મુજબ થઈ હતી. અંદાજિત ત્રણ કલાકના વિરામ બાદ કંડલા પોર્ટમાં  ફરી  સાંજે 6 વાગ્યાથી  દેશનુ પ્રથમ  નંબરનુ કંડલા પોર્ટ ફરીથી ધમધમતું થયું હતું. જો કે રાત્રે ફરી એકવાર કામગીરીમાં વિક્ષેપ પડયો હતો. - મુંદરા પોર્ટ પર પણ સાવચેતીનાં પગલાં લેવાયાં : મુંદરા, તા. 10 : ભારત - પાક વચ્ચે ઓપરેશન સિંદૂર સાથે તણાવની સ્થિતિની નજરે સવારથી કચ્છભરમાં બંધ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. એ પહેલાં પણ બે દિવસથી બ્લેકઆઉટની સ્થિતિ વચ્ચે કંડલા બંદરની જેમ ભૌગોલિક વ્યૂહાત્મક અને દેશમાં મહત્ત્વનું પરિવહન થાય છે એવા મુંદરા પોર્ટની કામગીરી પરિસ્થિતિની નજરે રાતે લગભગ બંધ કરી દેવાઈ હતી. એક તબક્કે ગેટ પણ બંધ કરાવાયો હતો. જો કે, શનિવારે સાંજથી ભારત - પાકિસ્તાન વચ્ચે સીઝફાયરના અહેવાલો મળતાં તબક્કાવાર સંચાલન પૂર્વવત થઈ ચૂક્યું હતું. એ વચ્ચે રાત્રે ફરી એકવાર જિલ્લા કલેક્ટરે બ્લેકઆઉટ જારી કરતાં મુંદરા પોર્ટ પર પણ આવશ્યક સાવચેતીના પગલાં ભરવામાં આવ્યા હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd