ગાંધીધામ, તા. 23 : ભચાઉ વિસ્તારમાં લોધેશ્વર નર્મદા
કેનાલમાંથી વાલજીભાઈ ધરમશી બોચીયા (ઉ.વ. 35)નો મૃતદેહ મળી આવ્યો હોવાના અહેવાલ સાંપડયા હતા. પોલીસ સૂત્રોએ
વિગતો આપતાં જણાવ્યું હતું કે, ભચાઉના
ભટ્ટપાળિયા વિસ્તારમાં રહેતા આ યુવાન એક દોઢ
દિવસ અગાઉ પોતાના ઘરે કોઈ કારણોસર ચાલ્યા ગયા
હતા. દરમ્યાન આજે સવારે 10.30 વાગ્યાના
અરસામાં લોધેશ્વર કેનાલ પાસે સાયફન પાસેથી
તેમનો મૃત દેહ મળી આવ્યો હતો. આ અંગે ફાયર ફાઈટર વિભાગની ટીમની મદદ લેવાઈ હતી. પોલીસે બનાવ પાછળનું કારણ જાણવા માટે
અકસ્માત નોંધના આધારે વધુ તપાસ આરંભી છે.