ભુજ, તા. 26 : તાલુકાના થરાવડાની સીમમાં ત્રણ
વાડીમાંથી બોરવેલના વાયરની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે. પદ્ધર પોલીસ મથકે ચંદિયા
(તા. અંજાર)ના જયસુખભાઇ વલમજી સોરઠિયા (આહીર)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 24/3ના રાતથી બીજા દિવસની સવાર
સુધી તેની થરાવડાની સીમ પાસે આવેલી વાડીમાંના બોરવેલમાંથી તેમજ સાહેદો હરેશભાઇ કરશનભાઇ મેતા
(આહીર) અને વાલજી કાનજીભાઇ મેતા (આહીર)નીય વાડીમાંના બોરવેલમાંથી કુલ્લે રૂા. 18,230ના જુદા-જુદા વાયરની ચોરી થયાની
ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.