• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

પૈસાનું પાણી : જૈન આશ્રમથી ગઢશીશા ચોકડી સુધીનો નેશનલ હાઈ-વે ખાડાગ્રસ્ત

કાઠડા (તા.માંડવી), તા. 18 : માંડવી તા.ના ગઢશીશા ચોકડીથી જૈન આશ્રમ સુધીના ત્રણ કિ.મી.ના માર્ગનું તાજેતરમાં જ કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું હતું, પરંતુ આ માર્ગમાં મસમોટા ખાડા પડી જતાં કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે. મળતી માહિતી મુજબ માંડવી જૈન આશ્રમથી ગઢશીશા ચોકડી સુધીના નેશનલ હાઈ-વેને પહોળો કરી કરોડોના ખર્ચે નવીનીકરણ કરાયું હતું. નવીનીકરણની કામગીરી થોડા  સમય પહેલાં જ કરાઈ હતી અને ટૂંકા સમયગાળામાં જ આ માર્ગમાં વન  વિભાગની કચેરી અને પોલીસ સ્ટેશનની સામે તેમજ પુલ પર મસમોટા ખાડા પડી ગયા છે, જેથી કામગીરીની ગુણવત્તા, ઉપયોગમાં લેવાયેલી સામગ્રી સામે સ્થાનિક લોકો પ્રશ્નો ઊઠાવી રહ્યા છે. આ માર્ગ પર દિવસ દરમ્યાન મુસાફર વાહનો, દ્વિચક્રી વાહનો તેમજ ભારેખમ મોટા વાહનોની સતત અવર-જવર રહેતી હોય છે, ત્યારે ખાડાના કારણે પસાર થતા વાહનચાલકોને સતત અકસ્માતનો ભય રહે છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd