• રવિવાર, 29 જૂન, 2025

અવસાન નોંધ

ભુજ : મસ્કા હાલે મુંબઈના રાજગોર અમૃતબેન વિશનજી મોતા (ઉ.વ. 91) તે સ્વ. વિશનજી વેલજી મોતાના પત્ની, ગં.સ્વ. જયશ્રીબેન દિનેશકુમાર માકાણી, રાજેન્દ્ર, નયનાબેન જયપ્રકાશ રાજગોર (આશારિયા), જગદીશ, દિનેશના માતા, હિનાબેન, બિંદુબેનના સાસુ, સ્વ. હરિશંકર વેલજી મોતા, ગં.સ્વ. ભચીબેન લક્ષ્મીદાસ માકાણી, સ્વ. કુંવરજી વેલજી મોતાના ભાઈના પત્ની, સ્વ. મીઠાબેન કાનજી દેવજી અજાણી (ભુજ)ના પુત્રી, સ્વ. રતનબેન હરિશંકર દેવજી અજાણીના ભત્રીજી, સ્વ. ગંગાબેન મૂરજી મોતા (ગોઢવાળી વાડી-મસ્કા)ના દોહિત્રી, સ્વ. ઉમિયાશંકર, સ્વ. ડો. જયંતીલાલ, સ્વ. ઝવેરબેન કરસનદાસ જોષી, સ્વ. બાલાબેન સતીશકુમાર જેસરેગોર, વિનોદભાઈ, ગીતાબેન શિવશંકર નાકર, અરાવિંદભાઈના મોટા બહેન, ગં.સ્વ. જયાબેન ડો. જયંતીલાલ, અરૂણાબેન વિનોદભાઈ અને ચૌલાબેન અરાવિંદભાઈના નણંદ તા. 20-6-2025ના મુંબઈ મધ્યે અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 25-6-2025ના બુધવારે સાંજે 5.30થી 6.30 આર.ટી.ઓ. રાજગોર સમાજવાડી, ભુજ ખાતે.

અંજાર : મૂળ તુણાના પ્રવીણભાઇ રતિલાલભાઈ સોનેતા (ઉ.વ. 65) તે સ્વ. મણિબેન રતિલાલ સોનેતા (નિવૃત્ત શિક્ષિકા, નાગલપર-અંજાર), સ્વ. રતિલાલ પોપટલાલ સોનેતાના પુત્ર, સ્વ. વ્રજલાલ (ટેલિફોન એક્સચેન્જ-અંજાર), ગં.સ્વ. શારદાબેન હેમંતકુમાર પંડિત (રાજકોટ), મંજુલાબેન જગદીશકુમાર (મુંબઈ), દિલીપભાઈ (હરિ ૐ ઇલેક્ટ્રોનિક્સ-અંજાર)ના ભાઈ, ગં.સ્વ. કોકિલાબેન વ્રજલાલ (નિવૃત્ત શિક્ષિકા, નાગલપર-અંજાર), વિજયાબેન દિલીપભાઈના દિયર, દીપેશ (હરિ ૐ ઇલેક્ટ્રોનિક્સ-અંજાર), ફોરમબેન ચિંતનકુમાર, ઊર્મિબેન હર્ષકુમારના કાકા, ઝંખનાબેન (કાઉન્સિલર અંજાર નગરપાલિકા)ના કાકા સસરા, સ્વ. લખમશી ભાણજી રૂપારેલ (ભુજ)ના દોહિત્ર, એડવોકેટ સંજય પંડિત (રાજકોટ), શીતલબેન જિતેન્દ્રકુમાર પૂજારા (મોરબી), માલાબેન પ્રશાંતકુમાર ચોલેરા (રાજકોટ), સોનલબેન દિઘેશકુમાર ગણાત્રા (મુંબઈ), ભાવિનીબેન ભરતકુમાર મજીઠિયા (મુંબઈ), ભૂમિકાબેન રાહુલકુમાર નંદા (ઓસ્ટ્રેલિયા)ના મામા તા. 23-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-6-2025ના બુધવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, રાજેન્દ્રભાઈ કોડરાણી માર્ગ, સવાસર નાકા, અંજાર ખાતે ભાઇઓ-બહેનોની સાથે.

માંડવી : કાન્તાબેન ઠાકરશી કુકડિયા (ઉ.વ. 90) તે સ્વ. ઠાકરશી પોપટ કુકડિયાના પત્ની, રસિક, પુષ્પાબેન, નયનાબેન, વિનોદ (મસ્કત), કૈલાશના માતા, માલતીબેન, કોકિલાબેન, તેજલબેનના સાસુ, ભાવિન, દિપુ, કૌશુભ, હિતાર્થી પાર્થ (ગાલા)ના દાદી, કૌશિક, ભૂમિ, બિજલ, અમિતના નાની, પ્રાણલાલ, સ્વ. વસંતલાલ, ગોવિંદભાઇ, મનસુખભાઇ, કુસુમના બહેન તા. 24-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-6-2025ના બુધવારે સાંજે 5થી 6 જૈનપુરી (એ.સી. હોલ), માંડવી ખાતે.

મુંદરા : ખત્રી ઇમરાન અબ્દુલ અઝીઝ (હોટેલવાળા) (ઉ.વ. 44) તે અબ્દુલ રઝાક, મોહમ્મદ હનીફ, રજિયાબાનુ આસિફ (અંજાર), મરિયમબાનુ મોહમ્મદ હુશેન (ભુજ), મ. શીરીનબેનના મોટા ભાઈ, મોહમ્મદ ઈઝામ અને મોહમ્મદ હાઝીમના પિતા તા. 23-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-6-2025ના બુધવારે સાંજે 4થી 5 ખરોત દરગાહ કમ્પાઉન્ડ, મુંદરા ખાતે.

મુંદરા : તુર્ક હાજી અબ્દુલમજીદ અબ્દુલરહેમાન (ઉ.વ. 73) તે ફૈઝલ તુર્કના પિતા, મ. મહમદહુશેન, તુર્ક હાજી અબ્દુલઅજીજના નાના ભાઇ, ઇકબાલ, અસલમ, અદ્રેમાન, રસીદ, હનીફ, મોહમદરફીક, નૌશાદના કાકા તા. 24-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-6-2025ના ગુરુવારે સવારે 11થી 12 કાંઠાવાળા નાકા જમાતખાના, મુંદરા ખાતે.

નલિયા (તા. અબડાસા) : મહેન્દ્ર પ્રધાનભાઈ ત્રિકમદાસ કટારમલ (ઉ.વ. 54) તે સ્વ. મણિબેન પ્રધાનભાઈ ત્રિકમદાસ કટારમલના પુત્ર, જેઠબાઇ કાંતિલાલ માવ (નરેડી), ગંગાબેન શંકરલાલ ભદ્રા (બિટિયારી), ગીતાબેન રાજેશ ભદ્રા (ભવાનીપર), મુકેશ પ્રધાનજી કટારમલના ભાઈ, દામજી, લાલજી (શંકરલાલ), મોહનલાલ શામજીના કાકાના દીકરા, મોહનલાલ મેઘજી ભદ્રા (ભવાનીપર)ના જમાઈ, જેરામ રવજી હુરબડા (પટેલ) પરિવાર (મોખરા)ના દોહિત્ર તા. 24-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થના સમસ્ત કટારમલ તથા લાડકાણી પરિવાર તરફથી તા. 25-6-2025ના સાંજે 4થી 5 ભાનુશાલી મહાજન વાડી, નલિયા ખાતે.

માધાપર (તા. ભુજ) : ગં.સ્વ. ભારતીબેન (ઉ.વ. 75) તે સ્વ. બિપીનચંદ્ર બેચરલાલ પાલીવાલના પત્ની, સ્વ. બેચરલાલ વેલજી પાલીવાલ, સ્વ. જમનાબેનના પુત્રવધૂ, સ્વ. તારાબેન, સ્વ. અરાવિંદભાઈ, સ્વ. દિનેશભાઈના નાના ભાઈના પત્ની, ગં.સ્વ. અમિતાબેન, ગં.સ્વ. દમયંતીબેનના દેરાણી, ધ્રુપદ, દીપાના માતા, મીનલ તથા દિવ્યાંગના સાસુ, કુશલના દાદી, નંદના નાની, જ્યોતિબેન, ફાલ્ગુની, વિપુલ, ફોરમ, કેનીલના કાકી, સ્વ. સુમિત્રાબેન ત્રિભુવનદાસ જોશી (શિવ)ના પુત્રી, અરાવિંદભાઈ (બટુકભાઈ), સ્વ. હેમન્દ્રભાઇ, સ્વ. વિજયભાઈના બહેન, ધીરેન, જતિન, મિહિર, હિમાંશુ, સ્વ. હેમાંગ, રિદ્ધિના ફઈ, સ્વ. ભીમજીભાઈ પાલીવાલ, સ્વ. જિતેન્દ્રભાઈ પાલીવાલના વેવાણ તા. 23-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-6-2025ના ગુરુવારે સાંજે 4થી 5 યક્ષ મંદિર હોલ, માધાપર ખાતે.

માનકૂવા (તા. ભુજ) : રાજેન્દ્રભાઈ નાનાલાલભાઇ અગારા (ઉ.વ 61) તે સ્વ. વિજયાબેન અને સ્વ. નાનાલાલભાઈ અગારાના પુત્ર, લતાબેનના પતિ, ધ્રુપદ, ધ્રુવીના પિતા, સ્વ. પ્રમોદભાઈ, સ્વ. પ્રદીપભાઈ, ધર્મેન્દ્રભાઈના ભાઈ, સ્વ. મુકતાબેન અરાવિંદભાઈ પીનારા, પ્રફુલ્લભાઈ, જગદીશભાઈ, બિપીનભાઈ, ભારતીબેન દિનેશભાઈ દુધૈયાના કાકાઈ ભાઈ, પ્રેમજીભાઈ ગોપાલજીભાઈ દુધૈયાના જમાઈ, પ્રફુલ્લભાઈ, સ્વ. મહેશભાઈ, સ્વ. ભરતભાઈ, જગદીશભાઈ, કૌશિકભાઇ, ઉર્મિલાબેન કિશોરભાઈ બકરાણિયા, મંજુલાબેન કુંવરજીભાઈ ગરવલિયાના બનેવી તા. 23-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-6-2025ના ગુરુવારે સાંજે 5થી 6 લક્ષ્મીનારાયણ સમાજવાડી, કોડકી રોડ પુલ, માનકૂવા (જૂનાવાસ) ખાતે.

નાના આસંબિયા (તા. માંડવી) : હાલે ગાંધીધામ લાંભરખિયા ખેતબાઈ ખીમજી (ઉ.વ. 54) તે સ્વ. હરજી નાથા દેવરિયાના પુત્રી, લાંભરખિયા ખીમજી ડાયાના પત્ની, અશોક, લક્ષ્મી, વર્ષા, અનિતા, હંસાના માતા, મહેશના કાકી, સુમારભાઈ (નાના આસંબિયા)ના પૂત્રવધૂ, રવજીભાઈના ભાભી, જંજક હેમંતના સાસુ તા. 23-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન નાના આસંબિયા ખાતે.

રત્નાપર (તા. માંડવી) : જીવાબેન લાલજીભાઈ ઠાકરાણી (ઉ.વ. 92) તે સ્વ. લાલજીભાઈ રામજીભાઈ ઠાકરાણીના પત્ની, સ્વ. અરજણ ધનજી વાસાણી (વિરાણી નાની)ના પુત્રી, સ્વ. રવજીભાઈ, હંસરાજભાઈ, દેવશીભાઈ, રતનબેન (દરશડી)ના બહેન, સ્વ. નથુભાઈ, નારણભાઈ, પરસોત્તમભાઈના ભાભી, નરોત્તમભાઈ, સ્વ. ઈશ્વરભાઈ, જયંતીભાઈ, રસિલાબેન (લુડવા), ગીતાબેન (ગંગાપર)ના માતા, શારદાબેન, પ્રભાબેન, નયનાબેન, મણિલાલ ધનજી ધોળુ (લુડવા), રમણીકલાલ લધા દિવાણી (ગંગાપર)ના સાસુ, જિજ્ઞેશ, સુનીલ, જતિન, કલ્પેશ, નીલ્પા (ઘાટકોપર), છાયા (બદલાપુર), મિત્તલ (દહીસર), શિલ્પા (પૂના), કોમલ (ભુજ)ના દાદી, પ્રિયા, નીતા, ભૂમિ, ભક્તિના દાદીસાસુ તા. 23-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-6-2025ના સવારે 8.30થી 11.30 રત્નાપર પાટીદાર સમાજવાડી ખાતે. મુંબઈ મધ્યે પ્રાર્થનાસભા તા. 28-6-2025ના બપોરે 3.30થી 5 પાટીદાર વાડી, બોરીવલી (ઈસ્ટ) ખાતે.

બાગ (તા. માંડવી) : પાર્વતીબેન રતિલાલ મોતા (ઉ.વ. 65) તે રતિલાલ જીવરામ મોતાના પત્ની, અનિલ, મોહન અને વર્ષાબેનના માતા, વર્ષાબેન, જિજ્ઞાબેન અને વસંતલાલ જયંતીલાલ જોષીના સાસુ, ભૂમિ કિશનભાઇ વ્યાસ, ચાંદની, હસમુખ, અંકિતા, ધવલ, માહીના દાદી, અંજલિ અને દીપના નાની, સ્વ. જમનાબાઈ જીવરામ મોતાના પુત્રવધૂ, રાધાબેન રામજી મોતા, પુરબાઈ કાંતિલાલ મોતાના દેરાણી, સ્વ. લક્ષ્મીબેન જયરામ બોડા, હીરબાઈ પ્રાણજીવન મકાણીના ભાભી, લાભશંકર, વિપુલ, ખરાશંકર, રાજેશ, હેમલતાબેન, અમૃતબેન, અરૂણાબેન, લીલાવંતીબેન, જયશ્રીબેન, કમળાબેન, ગોદાવરીબેનના કાકી, નયનાબેન, દિવ્યાબેન, કલ્પનાબેન, રોશનીબેનના કાકીસાસુ, સ્વ. જમણાબાઇ લીલાધર નાકરના પુત્રી, સ્વ. કરસનજી, સ્વ. શામજી, કાંતિલાલ, મોહનલાલ, ગં.સ્વ. ગંગાબેન, સ્વ. કસ્તૂરબેન, ગં.સ્વ. મોંઘીબેન, જવેરબેન, પ્રભાબેનના બહેન, ગં.સ્વ. મણિબેન, ગં.સ્વ. ચંદ્રિકાબેન, કસ્તૂરબેન, ગંગાબેનના નણંદ, રવિલાલ, ચંદુલાલ, ભગવાનજી, ખરાશંકર, વિશનજી, સુરેશ, પ્રફુલ્લ, જયેશ, શંભુના ફઈ તા. 24-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-6-2025ના બપોરે 3થી 5 બાગ રાજગોર સમાજવાડી, બાગ ખાતે.

ગુંદાલા (તા. મુંદરા) : મૂળ ડુમરાના રજનીકાંત ત્રિકમજી બાપટ (ઉ.વ. 78) તે સ્વ. ત્રિવેણીબેન ત્રિકમજી બાપટના પુત્ર, ઇન્દિરાબેનના પતિ, કમલેશ, કૌશિક, દક્ષાના પિતા, દીપેશ, ભાવિક, મિત્તલના નાના, સ્વ. પ્રભુલાલ, સ્વ. નવલશંકર, સ્વ. નટવરલાલ, સ્વ. દિનકરભાઇ, જયસુખલાલ, સ્વ. સાવિત્રીબેન, સ્વ. વિનોદબેન દીપેશ પરસોત્તમ પંડયા, સ્વ. પુષ્પાબેન હિંમતરામ તિલક, સ્વ. સરસ્વતીબેન શંકરલાલ રાસ્તેના ભાઈ, જિતેન્દ્ર કાશીરામ જોષીના સસરા અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-6-2025ના ગુરુવારે સાંજે 4થી 5 અદાણી હોલ, ગુંદાલા ચોકડી, ગુંદાલા ખાતે.

રતાડિયા ગણેશવાલા (તા. મુંદરા) : ગં.સ્વ. કસ્તૂરબેન (ઉ.વ. 85) તે ભવાનજી માવજી પેથાણીના પત્ની, સ્વ. રાધાબેન દયારામ, સ્વ. નરભેરામના નાના ભાઈના પત્ની, સ્વ. રાજેશભાઇ, વિપુલભાઈ, ભાવનાબેન (ભુજ)ના માતા, ગં.સ્વ. નયનાબેન, રિમ્પલબેન, અરૂણભાઇ (ભુજ)ના સાસુ, વિકી, યશ, જય, કિંજલ (જામનગર)ના દાદી, વૈશાલી યશકુમાર, લકીરાજ (જામનગર)ના દાદીસાસુ, કિયારાબાના મોટા નાની, આનંદ, શ્વેતાના નાની, વૈશાલી આનંદકુમાર, ધર્મેશકુમાર (ભુજપર)ના નાનીસાસુ, રાઘવના પરનાની, સ્વ. ભચીબાઈ કાકુભાઈ પ્રેમજી જેશરેગોર (ભુજપર)ના પુત્રી, સ્વ. કરસનજી, ભાઈલાલ, રસિકલાલ, કમલભાઈ, સ્વ. દમયંતીબેન નરભેરામના બહેન, મમીબેન કરશનજી જોષી (ફરાદી હાલે રતાડિયા)ના નણંદ અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 25-6-2025ના બુધવારે બપોરે 3થી 5 જૈન દેરાસર હોલ, બસ સ્ટેન્ડની બાજુમાં, રતાડિયા ખાતે.

આમારા (તા. નખત્રાણા) : રાયમા જેતબાઇ જુમ્મા (ઉ.વ. 86) તે જુમ્મા માલાના પત્ની, ઈસ્માઈલ જુમ્માના માતા, મ. ઉરસ (ઐયર)ના સાસુ, મુસા, સુમાર, ઈભલાના મામીફારૂક, આસીફ, રઝાકના દાદી તા. 24-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-6-2025ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાન આમારા ખાતે.

મોટા કરોડિયા (તા. અબડાસા) : ગઢવી જેતબાઇ મેઘરાજ જામોતર (ઉ.વ. 85) તે સ્વ. મેઘરાજ પરબતના પત્ની, લખમણ, બુદ્ધા, કરશનના માતા, કરશન ગોપાલ (લાલો), દેવાંધ મુંધુડાના ફઇ તા. 24-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને તથા ઉત્તરક્રિયા (પાણી) તા. 4-7-2025ના શુક્રવારે બુદ્ધા નિવાસ, કરોડિયા ખાતે.

ખોડાસર (તા. ભચાઉ) : ગઢવી ખીમકરણભા વશરામભા (દેવસુર) (ઉ.વ. 72) તે નરસંગભા (ઉર્ફે પપુભા)ના પિતા, મયૂર, જયદેવના દાદા, વિરસલભા વશરામભા (માજી સરપંચ લાકડિયા), સ્વ. મોમાયાભા વશરામભા (માજી સરપંચ ખોડાસર), રામભા વશરામભા (માજી સરપંચ ખોડાસર), હરિભા વશરામભા (સદસ્ય ભચાઉ તાલુકા પંચાયત), મૂળુભા વશરામભા (ડી.પી.એ.)ના ભાઇ, જશુભા વિરસલભા, ખોડાભા મોમાયાભાના કાકા, હેમુભા રામભા, ધનરાજભા હરિભા, જયેશભા મૂળુભાના મોટાબાપુ તા. 24-6-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 26-6-2025ના ગુરુવારે નિવાસસ્થાન ખોડાસર (તા. ભચાઉ) ખાતે. લૌકિક વ્યવહાર ખોડાસર ખાતે.

રાજકોટ : ઇન્દુમતીબેન ગંદા તે છોટાલાલ પરસોત્તમભાઇ ગંદા (છોટાલાલ એન્ડ બ્રધર્સ, ઇલેક્ટ્રિકવાળા)ના પત્ની, પીયૂષ, દર્શન, વિશાલ, વિપુલ (મસ્કત), મોનાબેન નીલેશકુમાર અનડકટના માતા, સ્વ. ગોરધનદાસ પોપટલાલ કાનાણી (જામનગર)ના પુત્રી, મનુભાઇ, ભરતભાઇના બહેન તા. 23-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 26-6-2025ના ગુરુવારે સાંજે 5થી 6 યોગી સભાગૃહ, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતે. પિયર પક્ષની સાદડી સાથે.

ઘાટકોપર (મુંબઇ) : મૂળ જખૌના ગં.સ્વ. પાર્વતીબેન (બચુબાઈ) પદમપુરી (ઉ.વ. 96) તે સ્વ. પરસોત્તમગિરિ લધાગિરિ (જખૌ)ના પુત્રી, સ્વ. ગંગાગિરિ (બાબુભાઈ) પરસોત્તમગિરિ (જખૌ)ના બહેન, વલ્લભપુરી, નારાણપુરી, મધુરીબેન, રમાબેનના માતા, નિમુબેન, હંસાબેન, ગાવિંદગિરિ તથા વિનોદગિરિના સાસુ, સ્વ. કૈલાશપુરી, ભાનુપુરી, ગંગાબેનના ભાભી, સ્વ. હીરબાઈ ગંગાગિરિ (જખૌ)ના નણંદ, નારાણગિરિ, ચંદનગિરિ, જગદીશગિરિ, દિનેશગિરિ, કાન્તાબેન, સરલાબેન, ભારતીબેનના ફઈ, પ્રતિમાબેન, સ્વ. લતાબેન, ઉષાબેન, કરૂણાબેનના ફઈસાસુ તા. 22-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 25-6-2025ના સાંજે 4.30થી 6 બાલકનજી બારી હોલ, રાજાવાડી ગાર્ડન, ઘાટકોપર (ઇસ્ટ), મુંબઈ ખાતે.

મુંબઇ : મૂળ નલિયાના લલીતભાઈ ખોસા (ઉ.વ. 47) તે ગોપાલજીભાઈ કાકુભાઈ સોનાઘેલાના પુત્રી, લીનાના પતિ, શીનના પિતા, જિજ્ઞા ચેતનકુમાર સોનાઘેલાના બનેવી, સરલાબેન મોતીરામ ખોસાના પુત્ર, અમિત મોતીરામ ખોસાના ભાઈ, રાજકુમારી અમિત ખોસાના દિયર, આયુષી ચેતનકુમાર સોનાઘેલાના ફુવા તા. 24-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-6-2025ના ગુરુવારે સાંજે 5.30થી 7 પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા, ચોથે માળે, મલ્ટિપર્પઝ રૂમ, કામા લેન, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ  ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.) 

Panchang

dd