ગાંધીધામ,તા.28 :સામખિયાળી થી માળીયા તરફ જતા
ધોરીમાર્ગ ઉપર સૂરજબારીપુલ પાસે વાહનમાંથી
પવનચકકીની પુર્જા પડતા એક ગાડી દબાઈ હતી.જેને
કારણે ચાર જણને ઈજા પહોંચી હતી. આ બનાવમાં પારૂલબા શકિતસિંહ જાડેજા(ઉ.વ.40) મુત્યુ થયુ હોવાના અહેવાલ સાંપડયા હતા. બહાર આવેલી વિગતો અનુસાર આજે સાંજે પાંચ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો.
માંડવીનો પરીવાર હ્યુડાઈની ક્રેટાથી અમદાવાદ
તરફ જઈ રહયો હતો.તેવામાં અચાનક પવન ચકકીનો
તોતીંગ ભાગ ઓડીસી વાહનમાંથી પસાર થતી ગાડી
ઉપર પડયો હતો.જેને ગાડીમાં બેઠેલા પાંચ લોકો
ગંભીર રીતે ફસાયા હતા.સ્થાનિક લોકો અને વાહન ચાલકો ધ્વારા ઈજાગ્રસ્તોને વાહનમાંથી બહાર કાઢવાની મથામણ કરવામાં
આવી હતી.ઈજાગ્રસ્તાને સૂરજબારી ટોલ પ્લાઝાની
એમ્બ્યુલન્સ મારફતે સામખિયાળીની ખાનગી હોસ્પિટલ
ખાતે મોકલાયા હતા. આ બનાવમાં માંડવીના ઈન્દ્રસિંહ રૂપસિંહ જાડેજા(ઉ.વ.17),દિવ્યાબા શકિતસિંહ જાડેજા(ઉ.વ.22),સહદેવસિંહ શકિતસિંહ જાડેજા(ઉ.વ.23) તથા અમદાવાદના રૂદ્રદતસિંહ
ગજેન્દ્રસિંહ ચૌહાણા(ઉ.વ.23)ને ઈજાઓ પહોંચી
હોવાનુ પોલીસે જાણવા જોગ નોંધને ટાંકીને જણાવ્યુ હતું. સામખિયાળી પી.આઈનો સંપર્ક કરતા
તેમણે જણાવ્યુ હતુ કે આ બનાવમાં એક જણનુ મૃત્યુ થયુ છે.મૃતદેહને બહાર કાઢવા માટે
વાહન ઉપરથી પવનચકકીના ભાગને હટાવવા માટે મોરબીથી મોટીક્રેન મંગવવામાં આવી છે. આ બનાવમાં માંડવીના પારૂલબા શકિતસિંહ જાડેજા(ઉ.વ.40)નુ મૃત્યુ થયુ હતું.તેમજ વાહન
ચાલક બાહર કુદી ગયો હતો.પોલીસ ધ્વારા ચાર ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ
અકસ્માતના કારણે અંદાજીત 10 કિલોમીટર સુધી જટીલ ટ્રાફિક
જામ સર્જાયો હતો. અનેક વાહન ચાલકો અંદાજીત ચાર કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયા હતા.પોલીસનો
મોટો કાફલો વાહન વ્યવહાર રાબેતા મુજબ પૂર્વવત કરવા માટે ઘસી ગયો હતો.