ગાંધીધામ, તા. 28 : શિણાય નજીક પોલીસની બીક બતાવી
કિશોરી ઉપર દુષ્કર્મ આચરવાના મામલામાં પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીની ધરપકડ કરી
હતી. અંજાર-આદિપુર માર્ગ ઉપર શનિદેવ મંદિરથી
શિણાય તરફ જતા માર્ગ ઉપર ગત તા.26/6ના સમી સાંજે બે અજાણ્યા શખ્સે કિશોર-કિશોરીને પોલીસ મથકે લઈ જવાનું કહી કિશોરીનું
અપહરણ કરી ધમકી આપી તેના ઉપર બળાત્કાર ગુજારવામાં
આવ્યો હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાતા દોડધામ મચી હતી. જિલ્લાભરમાં ચકચાર જગવનારા
આ બનાવને લઈને પોલીસે જુદી-જુદી ટીમો બનાવી
તપાસનો ધમધમાટ આરંભ્યો હતો. પૂર્વ કચ્છ એલસીબી
અને આદિપુર ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્મુમન ઈન્ટેલિજન્સની મદદથી આ ગુનામાં
સામેલ આરોપી મહેશ ઉર્ફે ડાભલો મોતીભાઈ કોળી
(રહે.વિજય નગર, કોળીવાસ, અંજાર), સંદિપગર ઘનશ્યામગર ગુંસાઈ (રહે.નવકાર હોમ્સ,
મેઘપર કુંભારડી, તા.અંજાર)ની ધરપકડ કરી હતી. હિનકૃત્ય
કરનારા આરોપીઓ પાસેથી કાળા રંગનું સુઝીકીની
મોટરસાઈકલ જીક્ષર કિં.રૂા.70 હજાર, એક મોબાઈલ
ફોન કિં.50 હજાર સહિત કુલ રૂા.1.20 લાખનો મુદ્દામાલ હસ્તગત લેવાયો હતો. તહોમતદારોને આવતીકાલે રિમાન્ડની
માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.