• રવિવાર, 29 જૂન, 2025

બંધારણની પ્રસ્તાવના બદલી ન શકાય

નવી દિલ્હી, તા.28 : બંધારણની પ્રસ્તાવનાને લઈને આરએસએસના દત્તાત્રય હોંસબાલેના નિવેદનને લીધે સર્જાયેલા વિવાદ વચ્ચે ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે બંધારણમાં સુધારા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, બંધારણની પ્રસ્તાવના બદલી શકાય નહીં, પણ ભારતમાં કટોકટી દરમ્યાન એવું થયું હતું. વિશ્વના અન્ય કોઈ પણ દેશની પ્રસ્તાવનામાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ ભારતમાં તે એક વાર થયો હતો. આ પ્રસ્તાવના વર્ષ 1976ના 42મા બંધારણ (સુધારા) અધિનિયમ દ્વારા બદલવામાં કરાયો હતો. આ સુધારા દ્વારા તેમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. ડો. બી.આર. આંબેડકરે બંધારણ પર ખૂબ મહેનત કરી હતી એમ  ધનખડે જણાવ્યું હતું. અહેવાલો અનુસાર, ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘએ બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દોની સમીક્ષા કરવા આહ્વાન કર્યું હતું. સંઘ અનુસાર, આ શબ્દો કટોકટી દરમિયાન સામેલ કરવામાં આવ્યા હતા અને ડો. બી.આર. આંબેડકરે દ્વારા તૈયાર કરાયેલા બંધારણનો ક્યારેય ભાગ નહોતા. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષોએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેના પ્રસ્તાવનામાં ધર્મનિરપેક્ષ અને સમાજવાદી શબ્દો રહેવા જોઈએ કે નહીં તે અંગે રાષ્ટ્રીય ચર્ચાના આહ્વાનની ટીકા કરી છે. તેમણે આ રાજકીય તકવાદ અને બંધારણની ભાવના પર ઈરાદાપૂર્વકનો હુમલો ગણાવ્યો છે. કટોકટી (વર્ષ 1975-77) દરમિયાન બંધારણની પ્રસ્તાવનામાં દાખલ કરાયેલા બે શબ્દની સમીક્ષા માટે દત્તાત્રેય હોસબાલેના મજબૂત હિમાયતથી રાજકીય વિવાદ સર્જાયો છે. 

Panchang

dd