મુંબઇ
તા.9 : ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધની સ્થિતિને
ધ્યાને રાખીને આઇપીએલ-202પ
સીઝન તાત્કાલિક અસરથી એક સપ્તાહ માટે સ્થગિત કરવામાં આવી છે. બીસીસીઆઇના સેક્રેટરી
દેવજીત સેકિયાએ જણાવ્યું હતું કે હાલની યુધ્ધની સ્થિતિને ધ્યાને રાખીને આઇપીએલને એક
સપ્તાહ માટે મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા કાર્યક્રમમ અને સ્થળ અંગેનો
નિર્ણય હિતધારકો સાથેની બેઠક બાદ લેવામાં આવશે. અમારા માટે દેશની અખંડિતતા, સુરક્ષા પ્રથમ છે. હાલ તમામ
વિદેશી ખેલાડીઓને તેમના દેશ મોકલી દેવાની દરેક ફ્રેંચાઈઝીને સૂચના અપાઇ છે. જો કે અકે
અહેવાલ મુજબ અંતિમ નિર્ણય જે-તે ફ્રેન્ચાઈઝીઓ ઉપર છોડવામાં આવ્યો છે. ગઇકાલે ગુરૂવારે
રાત્રે ધર્મશાલામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ 10 ઓવર બાદ સલામતી ખાતર પડતી મુકવામાં આવી હતી.
આ મેચમાં સામેલ તમામ ખેલાડીઓ અને અધિકારીઓ, કોચિંગ સ્ટાફ એક વિશેષ ટ્રેનમાં આજે સવારે દિલ્હી આવી પહોંચ્યા
હતા. આઇપીએલ સીઝનમાં કુલ 74 મુકાબલા
રમાય છે. એ મેચ પ8મી
હતી. એટલે હજુ 16 મેચ બાકી છે. જેમાં 12 લીગ મેચ અને 4 પ્લેઓફ મેચ છે. જો દિલ્હી અને પંજાબનો મેચ ફરી
રમાશે તો હવે 17 મેચ બાકી રહેશે. બીસીસીઆઇ માટે આઇપીએલનો નવો કાર્યક્રમ તૈયાર કરવો
ઘણો કઠિન બની રહેશે. કારણ કે જૂનના પ્રારંભથી દરેક ટીમ દ્વિપક્ષી શ્રેણીઓમાં વ્યસ્ત
છે. ભારતીય ટીમ પણ 20 જૂનથી
ઇંગ્લેન્ડ સામે પ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે.