માતાના મઢ, તા. 30 : સેંકડો વર્ષોથી પરંપરા અનુસાર
મઢ જાગીરના મહંત રાજા બાવા યોગેન્દ્રસિંહનાઅધ્યક્ષસ્થાને અખાત્રીજના દિવસે આચાર્ય મૂળશંકર
વાસુ દ્વારા શાત્રોક્ત વિધિથી ગુરુ ગાદીનું પૂજન કરાયું હતું તેમજ મહંત તરીકે મઢ જાગીરના
ગાદીપતિને 35 વર્ષ પૂર્ણ થતાં ગામલોકો તથા
અનુયાયીઓ દ્વારા શુભેચ્છા પાઠવાઇ હતી. સેંકડો વર્ષ પૂર્વે વિરારાજા નામક મઢ જાગીર મહંતે
ગાદીની સ્થાપના કરી હતી. ગુરુ-શિષ્ય પરંપરા મુજબ સંત મેકરણદાદા પાંચ વર્ષ સુધી ગુરુ
ગાંગોજીના શિષ્ય બની સેવા-પૂજા કરી હતી. વર્ષ 1961માં બ્રહ્મલીન કરમસિંહજીએ મઢ જાગીર ટ્રસ્ટની સ્થાપના કરી હતી.
તેમના શિષ્ય રાજાબાવા યોગેન્દ્રસિંહજી વહીવટ ચલાવી રહ્યા છે. આરોગ્ય, શૈક્ષણિક, કોરોના દરમિયાન
સેવા કાર્યો કરાયા છે. આર પ્રસંગે ઓધવરામ સેવા સમિતિના કનૈયાલાલ કટારિયા, ટ્રસ્ટી ખેંગારજી જાડેજા, ચત્રભુજભાઇ ભાનુશાલી,
દયાપર પી.એસ.આઇ. શ્રી વાઘેલા, જયંતીભાઇ શાહ,
ભગીરથસિંહ સોઢા, મયૂરસિંહ જાડેજા, અરવિંદ શાહ, પંકજભાઇ કાપડી જયપાલસિંહ જાડેજા,
હિતુભા જાડેજા, પ્રતાપસિંહ સોઢા, ગૂંજન શાહ, અશ્વિનભાઇ રૂપારેલ, પ્રહલાદસિંહ ચૌહાણ, મનુભા જાડેજા,, હિતેન્દ્રસિંહ દિવાકર, પ્રકાશભાઇ પંડયા ઉપસ્થિત રહ્યા
હતા.