નવી દિલ્હી, તા. 11: લોકસભા બાદ
રાજ્યસભાએ પણ ટ્રિબ્યુનલ રિફોર્મ્સ બિલ, 2026 ને મંજૂરી આપી દીધી. આ વિધેયકનો
ઉદ્દેશ્ય વિવિધ ટ્રિબ્યુનલોના કામકાજમાં એકરૂપતા લાવવાનો છે. પ્રસ્તાવિત વ્યવસ્થામાં
નિમણૂક, કાર્યકાળ અને સેવા શરતો માટે સમાન નિયમોની સાથે
નેશનલ ટ્રિબ્યુનલ કમિશનની સ્થાપનાનો પ્રસ્તાવ શામેલ છે. સરકાર આને વહીવટી સુધારાની
દિશામાં મહત્વપૂર્ણ પગલું બતાવી રહી છે, જ્યારે વિપક્ષે આના વિવિધ
પાસાઓ પર સવાલ ઉઠાવ્યા છે. એફસીઆરએ પર રાજકીય ખેંચતાણ વિદેશી ફાંડિંગ સાથે જોડાયેલા
નિયમોમાં ફેરફારનો પ્રસ્તાવ પણ રાજકીય વિવાદનું કારણ બન્યો છે. સરકારનું કહેવું છે
કે એફસીઆરએમાં સુધારો વિદેશી ફાંડિંગના દુરુપયોગ પર રોક લગાવવા માટે જરૂરી છે. વળી
વિપક્ષને આશંકા છે કે નવા પ્રાવધાન સ્વેચ્છિક સંસ્થાઓ અને કેટલાક સામાજિક તથા લઘુમતી
સંગઠનોના કામકાજને પ્રભાવિત કરી શકે છે.