• રવિવાર, 15 માર્ચ, 2026

વડાપ્રધાને કર્યું અદાણી પોર્ટસના હલ્દિયા ટર્મિનલનું લોકાર્પણ

અમદાવાદ, તા. 14 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અદાણી પોર્ટના હલ્દિયા બલ્ક ટર્મિનલ (એચબીટી)નું ઉદ્ઘાટન કરીને તેને ઔપચારિક રીતે રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. વાર્ષિક 4 મિલિયન મેટ્રિક ટનની ક્ષમતાના ડ્રાય બલ્ક કાર્ગોનું પરિવહન કરવા માટે હુગલી નદી પર નિર્માણ કરવામાં આવેલ આ ટર્મિનલ એક સંપૂર્ણ સ્વચાલિત બલ્ક સુવિધા સાથે સીધા રેલ જોડાણો ધરાવે છે અને ભારતના પૂર્વીય દરિયાઈ કોરિડોર દ્વારા બલ્ક કાર્ગોના પરિવહન માટે એક માળખાંકીય અપગ્રેડેશન છે. અદાણી પોર્ટ્સ અને સેઝ (એપીએસઈઝેડ)ના પૂર્ણ સમયના ડાયરેક્ટર અને સી.ઇ.ઓ. અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે, આગામી પેઢી માટેની ભારતના પૂર્વીય દરિયા કિનારા પર કાર્યક્ષમતાનો એક નવો માપદંડ સ્થાપિત કરતી હલ્દિયા બલ્ક ટર્મિનલની સુવિધા હુગલી સુધી સંપૂર્ણ યાંત્રિકીકરણ અને સીધી રેલ ખાલી કરાવશે. જેટી ડમ્પિંગને દૂર કરીને અદ્યતન સ્વચાલિત પદ્ધતિઓ દ્વારા કાર્ગોને થતાં નુકસાનને ઘટાડીને અમે સ્વચ્છ, સલામત અને વધુ ટકાઉ કામગીરી સુનિશ્ચિત કરી રહ્યા છીએ. આ ટર્મિનલ પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડની ઔદ્યોગિક પુરવઠા હરોળને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવવા સાથે આધુનિક મલ્ટિમોડેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવાની પ્રધાનમંત્રી મોદીની દૃષ્ટિને સમર્થન આપશે. આ ટર્મિનલ એચડીસી બલ્ક ટર્મિનલ લિ. દ્વારા ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ અને ટ્રાન્સફર (ડીબીએફઓટી) મોડેલ મુજબ 30 વર્ષના કરાર હેઠળ કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી બંદરના હલ્દિયા ડોક સંકુલ (એચડીસી)માં વિકસાવવામાં આવ્યું છે. 14 જુલાઈ 2023ના તેના નિર્માણની શરૂઆતથી આજે રાષ્ટ્રને સમર્પિત સુધીની આ સફર દરેક પ્રક્લ્પોને સમયસર સંપન્ન કરી તેને કાર્યાન્વિત કરવાની અદાણી પોર્ટસની ક્ષમતા દર્શાવે છે. 

Panchang

dd