ગાંધીધામ, તા. 8 : કચ્છથી ઉત્તર ભારત વચ્ચે દોડતી
આલા હઝરત એક્સપ્રેસના જનરલ કોચમાં શોર્ટસર્કિટના બનાવથી પ્રવાસીઓમાં ભારે ગભરાટની લાગણી
પ્રસરી હતી. સદનસીબે આ બનાવમાં કોઈને જાનહાનિ થઈ ન હતી. આ અંગે મળતી વિગતો મુજબ શનિવારે
સાંજે ભુજથી બરેલી જવા નીકળેલી ટ્રેન ભચાઉ પહોંચી ત્યારે જનરલ કોચમાં ધુમાડા દેખાયા
હતા. શોર્ટસર્કિટના કારણે આ બનાવ બન્યો હોવાનું રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું. બનાવના
પગલે ગભરાયેલા પ્રવાસીઓ કોચમાંથી નીચે ઊતરી ગયા હતા. આ દરમિયાન સ્ટેશન ઉપર અફરાતફરીનો
માહોલ ફેલાયો હતો. આ મામલે રેલવેની ટેકનિકલ વિભાગની ટીમે તાત્કાલિક
કોચની તપાસ કરી હતી. કંઈ જોખમી ન જણાતાં 15થી 20 મિનિટના વિલંબ
બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રેનમાં લાગેલી સ્વીચની ક્ષમતા કરતા વધુ વોટના
ઇલેક્ટ્રિક સાધનોના ઉપયોગના કારણે આ પ્રકારના બનાવો બનતા હોવાનું જાણકારો જણાવી રહ્યા
છે.