ભુજ, તા.
9 : ભારત-પાકિસ્તાન વચ્ચે હાલ યુદ્ધ છેડાઈ ગયું છે, ત્યારે નાપાક દુશ્મન પાકિસ્તાન સાથે સંપર્ક ધરાવતા અને શંકાના
રડારમાં આવેલા કચ્છના શકમંદોને અગમચેતીના ભાગરૂપે વિવિધ સુરક્ષા એજન્સીઓએ રાઉન્ડઅપ
કર્યાની વિગતો મળી છે.પાડોશી નાપાક દુશ્મન દેશ પાકિસ્તાનના હાથ મજબૂત કરવા જાસૂસી કે
ભારતની માહિતી આપવા અર્થે આવા ગદ્દારો પર દેશની સુરક્ષા એજન્સીઓની સતત ચાંપતી નજર રહે
છે. હાલ જ્યારે નાપાક દેશ પાકિસ્તાન સાથે યુદ્ધ છેડાઈ ગયું છે, ત્યારે શંકાના રડારમાં આવેલા કચ્છના આવા નાપાક શકમંદો વિવિધ સુરક્ષા એજન્સીઓએ
રાઉન્ડઅપ કર્યાનું સામે આવ્યું છે. આવા શંકાસ્પદ શખ્સો દ્વારા કોઈ જાતની ગતિવિધિ ન
થાય તેવી અગમચેતીના ભાગરૂપે કાર્યવાહી થયાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે,
બે દેશના ભાગલા બાદ અમુક પરિવારોના પણ ભાગ થયા હતા. રોટી-બેટી પારિવારિક
સંબંધો હજુય છે. નિયમ પ્રમાણેના વિઝાથી આવન-જાવન પણ થતી રહે છે, ત્યારે આવા પરિવારો હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ સામે પારથી દૂરી રાખે તે ઈચ્છનીય
છે. કારણ કે, બન્ને દેશની સુરક્ષા એજન્સીઓના રડાર સક્રીય છે ત્યારે
સામાન્ય વાતચીત-પૂછપરછ લઈને મુશ્કેલીને ટાળવી જરૂરી બની છે. આથી આવા પરિવારો પણ જાગૃતિ
બતાવી આવી કોઈ પણ ગતિવિધિ ટાળે તે જરૂરી બન્યું છે.