ચાર-પાંચ વર્ષ પહેલાં આખી દુનિયાને દર્દ દેનાર અને વિશ્વની અર્થવ્યવસ્થાઓને
અસ્થિર કરી દેનાર કોરોનાએ ફરીવાર એશિયામાં ઉચાટ ફેલાવવા માંડયો છે. આ વખતે ઓમિક્રોનના
નવા વેરિયન્ટ જેએન-વન, તેના પેટા
વેરિયન્ટ એલએફ-7 અને એનબી-18ને જવાબદાર મનાઇ રહ્યા છે, ભારતમાં પણ નવેસરથી જોવા મળેલાં સંક્રમણથી ફરી
એશિયાઇ દેશોની સરકારો સાવધાન થવા માંડી છે. આ નવા વેરિયન્ટ પહેલાં કરતાં વધુ ખતરનાક
અથવા વધારે ગતિ સાથે ફેલાય તેવા હોવાના કોઇ પુરાવા મળ્યા નથી, તેમ છતાં ભારત સહિત દેશોની સરકારો
શરૂઆતથી જ એલર્ટમોડ પર આવી ગઇ છે. ચિંતાની વાત એ છે કે, કોરોના
ગુજરાતમાં દાખલ થઇ ચૂક્યો છે અને અઠવાડિયામાં નવા કેસ નોંધાયા છે. મે મહિનાથી શરૂઆતથી
સિંગાપુર, હોંગકોંગ, ચીન અને થાઇલેન્ડ જેવા
એશિયાઇ દેશોમાં કોવિડ-19ના નવા વેરિયન્ટના
મામલા વધવા માંડયા છે. ભારત દેશમાં પણ સંક્રમણ સામે આવ્યું છે. આ વખતે પણ સૌથી વધુ
69 કેસ સાથે કેરળ મોખરે છે. નવા
વેરિયન્ટના સંક્રમણના મોરચે મહારાષ્ટ્ર 44 મામલા સાથે બીજાં સ્થાને છે,
ત્યારબાદ દક્ષિણ ભારતીય રાજ્ય તામિલનાડુમાં 34 કર્ણાટકમાં આઠ, ગુજરાતમાં છ અને દિલ્હીમાં ત્રણ નવા કેસ નોંધાયા
છે. નવા કોવિડ વેરિયન્ટનું સંક્રમણ અત્યાર સૌથી વધુ દક્ષિણ ભારતીય રાજ્યોમાં જોવા મળ્યું
છે. કારોનાનું સંક્રમણ ફરી દેખાતાં એશિયાઇ દેશોમાં ઉચાટ સાથે કોરોના પર નજર માંડી બેઠા
છે. ગભરાવાનું કારણ આ મહામારીનો બિહામણો અનુભવ. ડિસેમ્બર 2019માં ચીનનાં વૂહાનમાંથી રહસ્યમય
રીતે ફેલાયેલા આ ઘાતક વાયરસે થોડાક મહિનાઓમાં જ દુનિયાભરના અનેક દેશોને ચપેટમાં લઇ
લીધા હતા. માત્ર ત્રણ વર્ષના ગાળામાં કોરાનાની અનેક લહેરોએ દુનિયાભરના 70 લાખથી વધુ લોકોને પીડા આપી
હતી. વિશ્વ આરોગ્ય સંગઠન (હૂ)એ 2020માં કોવિડ
19ને વૈશ્વિક મહામારી ઘોષિત કરી દીધી હતી.
નવેમ્બર-2023માં કોરોના વાયરસની છેલ્લી
લહેર જોવા મળી હતી. સ્વજનોને એકમેકથી દૂર કરી દેનાર આ ખતરનાક વાયરસના કેસો ફરી એશિયામાં
જોવા મળ્યા છે. સિંગાપુરમાં પહેલી મેથી 19મે વચ્ચે ત્રણ હજાર સંક્રમિત સામે આવ્યા હતા. એપ્રિલનાં અંતિમ
અઠવાડિયાં સુધી સંક્રમિતોની સંખ્યા 11,100 હતી. આમ, મામલાઓમાં
28 ટકાનો વધારો થયો હતો. કોરોના
સદંતર ગયો નથી. હોંગકોંગમાં જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં 81 કોરોનાગ્રસ્ત દર્દી સામે આવ્યા, જેમાંથી 30 સંક્રમિતમાં મોત થઇ ચૂક્યાં
છે. ચીન અને થાઇલેન્ડમાં પણ એલર્ટ જારી કરી દેવાયું છે. મુંબઇની કેઇએસ હોસ્પિટલમાં
19મી મેના દિવસે બે કોવિડ સંક્રમિતનાં મોત
થયાં હતાં. જો કે, તબીબોએ એવું
સ્પષ્ટ કર્યું હતું કે, એ બન્ને દર્દીનાં મોત જૂની બીમારીઓનાં
કારણે થયાં હતાં. એક દર્દીને મોઢાંનું કેન્સર હતું, તો બીજા દર્દીને
`નેફ્રોટિક સિન્ડ્રોમ' તરીકે ઓળખાતી કિડનીની ઘાતક બીમારી હતી,
પરંતુ એ સત્યની પણ અવગણના કરી ન શકાય કે, મુંબઇની
હોસ્પિટલમાં જીવ ખોનાર એ બન્ને દર્દીને કોરોનાના નવા વેરિયન્ટનું સંક્રમણ હતું. કેરળ,
તામિલનાડુ, કર્ણાટક, ગુજરાત
અને દિલ્હી સિવાય હરિયાણા, રાજસ્થાન, સિક્કીમમાં પણ ઓમિક્રોનના નવા વેરિયન્ટના એક-એક
કેસ જોવા મળી ચૂક્યા છે. એશિયાઇ દેશોની સરકારો એલર્ટ અને એક્શન મોડમાં આવી ગઇ છે અને આરોગ્ય તંત્રોને
સક્રિય કરી દીધાં છે, આરોગ્ય ક્ષેત્રના તજજ્ઞો સાથે સતત બેઠકો
થઇ રહી છે. ખાસ કરીને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને વધુ અસર થતી રોકવાની દિશામાં
પ્રયાસો શરૂ થઇ ચૂક્યા છે. આપણે સૌ જાગૃત બનીને તકેદારી લેતા થઇએ એ જરૂરી છે. બાજારુ
ખોરાકને તિલાંજલિ આપીએ અને સ્વચ્છતાનો મંત્ર અપનાવીએ એ જરૂરી છે. પહેલું સુખ તે જાતે
નર્યા એ કહેવત કંઠસ્થ કરી લેવાની જરૂરી છે.