હેમાંગ પટ્ટણી દ્વારા
ભુજ, તા. 31 : કચ્છ જિલ્લો તેની દાતારી માટે જગવિખ્યાત છે.
કચ્છીઓ જ્યાં કંઇ પણ વસતા હોય, પણ જ્યારે માદરે વતનના સાદ
પડે ત્યારે મદદ માટે પહોંચી જતા હોય છે. કચ્છમાં અનેક શ્રેષ્ઠિ દાતાઓ મન મૂકીને
દાનની સરવાણી વહાવે છે, પણ
આપણે અહીં એક એવા દાતાની વાત કરવી છે કે, જેઓ કોઈ પણ
કામ હોય દાન આપવામાં પહેલી પહેલ કરી અન્યોને પણ પ્રેરણા પૂરી પાડતા હોય છે. મૂળ
અબડાસા તાલુકાના ખારુઆ ગામના વતની અને વર્ષોથી ધંધાર્થે મુંબઈ સ્થાયી થયેલા
મહેન્દ્રભાઈ શાહ (ગડા) જળ સંરક્ષણનું કામ હોય કે આદર્શ ગામ નિર્માણ કરવાનું હોય કે
પછી વૃક્ષ વાવેતર કરવાનું હોય દાનની પહેલ કરવામાં અગ્રેસર રહે છે. મહેન્દ્રભાઈનું
માનવું છે કે, પ્રકૃતિની સેવા એ જ ઈશ્વરની સાચી સેવા એ ભાવ
સાથે હું આ બધા અભિયાનમાં સક્રિયપણે જોડાયેલો છું તેનો મને આત્મસંતોષ છે. તેમના
પુત્ર વિશાલભાઈએ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કર્યો હોવા છતાં આજે તેઓ માદરે વતનમાં
પ્રગતિશીલ ખેડૂત બની કમલમ્ ફળ સહિતના બાગાયતી પાકમાં પારંગતતા મેળવી છે. તેમનું
સ્વપ્ન કચ્છમાં બાંબુ ક્લસ્ટર ઊભું કરી રોજગારીનો નવો સ્રોત ઊભો કરવાનું છે.
* આપની જીવનયાત્રા પર થોડો પ્રકાશ પાડશો ?
- મારું મૂળ વતન અબડાસા તાલુકાનું ખારુઆ ગામ
છે, પણ વર્ષોથી ધંધાર્થે મુંબઈ સ્થાયી થયો છું,
જ્યારે જ્યારે તક મળે ત્યારે માદરે વતન કચ્છમાં આવી સેવા કરવાની એક
પણ તક અમે ચૂકતા નથી તેનો અમને આત્મસંતોષ છે.
* કચ્છમાં આપે બનાવેલાં આદર્શ ગામ વિશે જણાવશો ?
- મારું મૂળ વતન ખારુઆ છે. આ ગામને અમે દતક લઈ
તેને આદર્શ ગામ તરીકે વિકસાવ્યું છે. ગામને સુરક્ષા પ્રદાન કરવા હેતુ સીસીટીવી
કેમેરા લગાવાયા છે. જળસંચયનાં કામો કરી સાભરાઈ તળાવ, ગમુલી તળાવ, રાતા ટેકરો અને સહિયારો તળાવનું
ખાણેતરું કરી તેને બાવળમુક્ત કરી જળસંગ્રહ શક્તિ વધારાઈ છે. આકાર ચેરિટેબલ
ટ્રસ્ટના સહયોગથી સીતા અને પાર્વતી એમ બે નવા ચેકડેમ બનાવ્યા છે. સદ્ભાવના
વૃદ્ધાશ્રમને પહેલીવાર કચ્છ લાવી 1પપ વૃક્ષ આ ગામે વાવવામાં આવ્યાં છે.
* કચ્છમાં જળસંગ્રહ ક્ષેત્રમાં આપનું પ્રદાન ?
- ગ્લોબલ કચ્છ-કચ્છમિત્ર સુખનું સરનામું
અભિયાન સાથે અમે જોડાયેલા છીએ. ક્રીડાના
ફાઉન્ડર મેમ્બર ગોવિંદ ભાનુશાલી, અમૃતભાઈ
શાહ, મીરાંબેન સતરા, ધીરજભાઈ નંદુ,
કેતન કટારિયા સહિત સાથે મળી ભારાપર અને ખારુઆ ગામમાં જળસંચયનાં
મોટાં કામો કરાયાં છે. વર્ધમાન પરિવારના સહયોગથી ચિયાસર ગામે નેપિયર ઘાસનાં
વાવેરતમાં અમારો સહયોગ રહ્યો છે. આ પરિવારે 1પ0 એરકમાં નેપિયર
ઘાસ વાવયું છે. પ00 એકરમાં
વાવવાનો ટાર્ગેટ છે.
* અન્ય સામાજિક પ્રકલ્પમાં આપના સહયોગ વિશે જણાવશો?
- રાતાતળાવમાં ગૌશાળાના પશુઓ માટે ચાર કિ.મી.
દૂરથી પાણીની પાઈપલાઈન બેસાડી આપી, જે
દુષ્કાળ સમયે ખૂબ ઉપયોગી નીવડી હતી. બાયોગેસ પ્લાન્ટ પણ કાર્યરત કરી આપ્યો છે.
વધુમાં વડો મહાજન દ્વારા ચાલતા શિક્ષણ સહિતના સેવા પ્રકલ્પોને અનુસરી જરૂરતમંદોને
શિક્ષણસહાય પૂરી પાડીએ છીએ.
* કચ્છ માટે આપનું ખાસ કોઈ વિઝન
- જો રાજ્ય સરકાર અને ગુજરાત ખનિજ વિકાસ નિગમનો
સહયોગ મળે તો અમારે કચ્છમાં બાંબુ ક્લસ્ટર ઊભું કરવાની નેમ છે. હાલ અમે ખારુઆમાં
એક શોકેસ તૈયાર કર્યું છે. ખરાબાની જમીન મળે તો એક મોટું ક્લસ્ટર બનાવી રોજગારીનો
નવો સ્રોત પણ ઊભો કરી શકીએ છીએ.