નવી દિલ્હી, તા. 31 : આઈપીએલમાં શુક્રવારે રાત્રે મુંબઈ
ઈન્ડિયન્સે ક્વોલિફાયર-2મા જગ્યા બનાવી લીધી છે. અગાઉ આરસીબીએ પંજાબ કિંગ્સને ક્વોલિફાયર-1મા હરાવીને ફાઈનલની ટિકિટ મેળવી હતી. હવે
મુંબઈ અને પંજાબ વચ્ચે ફાઈનલ માટે ટક્કર થશે. સિઝનના અંતિમ બન્ને મેચ અમદાવાદના
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ બન્ને મેચ ક્રમશ: એક અને ત્રણ જૂને થવાના છે.
પહેલી જૂને મુંબઈ અને પંજાબ વચ્ચે ક્વોલિફાયર-2 રમાશે જ્યારે ત્રીજી જૂને ફાઈનલ રમાશે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી
સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે સંતુલિત રહે છે, જે
બેટ્સમેનોઅને બોલરો બન્ને માટે અનુકુળ હોય છે. શરૂઆતી સ્થિતિ ઉછાળ અને ફાસ્ટ
આઉટફિલ્ડ સાથે સ્ટ્રોક રમવામાં સહાયક હોય છે. સ્પિનરર વચ્ચેની ઓવરમાં રમતમાં આવે
છે. પરંપરાગત રીતે મેદાન ઉપર ટીમ લક્ષ્યનો પીછો પસંદ કરે છે. જો કે 2025મા પ્રવૃતિ બદલી હતી. જેમાં પહેલા બેટિંગ
કરનારી ટીમને વધારે સફળતા મળી છે. અમદાવાદના સ્ટેડિયમમાં 2025મા સાત આઈપીએલ મેચ રમાઇ છે. જેમાં પહેલા
બેટિંગ કરતા 6 મેચમાં જીત
મળી છે. જ્યારે ટાર્ગેટનો પીછો કરતા 1 મેચમાં જ જીત મળી શકી છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ રેકોર્ડ
મેચ- 42
પહેલા બેટિંગ કરતા જીત -21
રન ચેઝમાં જીત-21
ટોસ જીતીને જીત-19
ટોસ હારીને જીત-23
હાઈએસ્ટ સ્કોર-243-5
લોએસ્ટ સ્કોર-89
હાઈએસ્ટ રનચેઝ-204-3
પ્રતિવિકેટ સરેરાશ રન-28.73
પ્રતિઓવર સરેરાશ રન-8.93
પહેલા બેટિંગનો સરેરાશ સ્કોર-176.35