• સોમવાર, 02 જૂન, 2025

750થી વધુ રન કરવા છતાં સાઈ સુદર્શનને ખુશી નથી

નવી દિલ્હી, તા. 31 : ગુજરાત ટાઈટન્સની સફર આઈપીએલ 2025મા સમાપ્ત થઈ છે. જીટીને એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 20 રને હારનો સામનો કરવો પડયો હતો. જીટીનો ઓપનિંગ બેટ્સમેન સાઈ સુદર્શને ફરી એક વખત શાનદાર બેટિંગ કરી હતી પણ ટીમને જીત અપાવી શક્યો નહોતો. ગુજરાત 228ના સ્કોરના જવાબમાં 208 રન જ કરી શકી હતી. સુદર્શને 49 બોલમાં 80 રન કર્યા હતા. સુદર્શન વર્તમાન સમયે ઓરેન્જ કેપ હોલ્ડર છે. તેણે 15 મેચમાં 54.21ની સરેરાશથી 759 રન કર્યા છે. જેમા એક સદી અને છ અર્ધસદી સામેલ છે.  જો કે સાઈ સુદર્શન 750થી વધુ રન કરવા છતા ખુશ નથી. સુદર્શને કહ્યું હતું કે ટી20માં અમુક બાબતો સુધારવા નવેસરથી કામ કરવાની જરૂરિયાત છે. રમતના ઘણા ક્ષેત્ર છે જેમાં સુધારાની જરૂરિયાત છે અને આ માટે જ વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. સુદર્શને આગળ કહ્યું હતું કે, ટીમ માટે સતત સારું પ્રદર્શન કરી રહ્યો હતો તે જોઈને સારું લાગ્યું છે પણ જ્યારે કામ પૂરું ન થાય તો ઘરે પરત ફરવાથી સંતોષ મળતો નથી. ઉલ્લેખનીય છે કે સાઈ સુદર્શન હવે ઈંગ્લેન્ડ પ્રવાસે એક્શનમાં જોવા મળશે. તેને ઇંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે ભારતીય ટીમમાં જગ્યા મળી છે. સુદર્શને ડિસેમ્બર 2023મા ઈન્ટરનેશનલ ડેબ્યુ કર્યું હતું. તે ભારત માટે ત્રણ વનડે અને એક ટી20 મેચ રમી ચૂક્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd