• સોમવાર, 02 જૂન, 2025

સાત લાખના સળિયા બારોબાર વેચી મારનારો આરોપી મુંદરાથી ઝડપાયો

ભુજ, તા. 31 : પાંચેક માસ પૂર્વે રાજસ્થાની ટ્રકચાલકે સાત લાખ રૂપિયાના લોખંડના સળિયા બારોબાર વેચી મારતાં અમદાવાદ વત્રાપુર પોલીસ મથકે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. અમદાવાદના આ ગુનાના નાસતા આરોપીને મુંદરા પોલીસે મુંદરામાંથી ઝડપી લીધો હતો. નાસતા આરોપીઓને પકડી પાડવાની મુંદરા પોલીસના પી.આઇ. આર.જે. ઠુમ્મરની સૂચનાને પગલે સર્વેલન્સ સ્ટાફે બાતમીના પગલે કિશન ખિયારામ ગોધારા (ધંધો ડ્રાઇવિંગ-રહે. ખેરાજકા તાલા નેત્રાડ, ચોરહટ, જિ. બાડમેર-રાજસ્થાન)ને મુંદરા પોર્ટના કસ્ટમ ગેટ પાસેથી ઝડપી લીધો હતો. તેની વિરુદ્ધ પાંચેક માસ પૂર્વે વત્રાપુર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ તે સામખિયાળીની અંજનિ રોડલાઇન્સના ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. ટ્રકમાં વરસાણાની કંપનીમાંથી લોખંડના સળિયા ભરી અમદાવાદ લઇ જવા નીકળ્યા બાદ રસ્તામાં આ સાત લાખના સળિયા વેચી માર્યાની ફરિયાદ નોંધાઇ હતી. ત્યારથી ધરપકડથી બચવા નાસતો ફરતો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd