અંજાર,તા.22 : ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવી રહયા છે. આ આયોજન અંતગર્ત અંજાર તાલુકા
ભાજપની બેઠક યોજાઈ હતી.જેમાં વિવિધ મુદે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. ધારાસભ્ય ત્રિકમભાઈ
છાંગાએ જણાવ્યુ હતુ કાર્યક્રમને સફળ બનાવવા માટે
વહીવટીતંત્ર સાથે સંકલન કરીને પુરતો પ્રચાર -પ્રસાર કરીને વધુમાં વધુમાં લોકો
આ કાર્યક્રમમાં આવે તેવુ જણાવ્યુ હતું.વધુમાં
તેમણે ઉમેર્યું હતુ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર હેઠળ પાકિસ્તાન ને જડબાતોડ જવાબ આપ્યો
છે. ત્યારે આપતા સૌની ફરજ બને છે. કે આ કાર્યક્રમમાં
મોટી સંખ્યામાં લોકો ઉમટે તે માટે ચિંતા કરવી જોઈએ. સ્વાગત ઉદબોધનમાં કરતા તાલુકા ભાજપ
પ્રમુખ બી.એન.આહીરે જણાવ્યુ હતુ કે જિલ્લાએ આપેલા લક્ષ્યાંક મુજબ આપણા
તાલુકાની સંખ્યા સભામાં ઉપસ્થિત રહે તે દિશામાં
આજથી પ્રયત્નો કરી સૌ કાર્યકર્તાઓને કામે લાગી જવા હાકલ કરી હતી. તાલુકા ભાજપના પ્રભારી વિકાસભાઈ રાજગોરે
તમામ કાર્યક્રમમા અંજાર તાલુકા
હંમેશા મોખરે હોય છે.તો આ કાર્યક્રમ માટે પણ જિલ્લા પંચાયત બેઠક સહ પ્રવાસ કરીને આયોજન
કરવાની વાત કરી હતી. બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખ શોભનાબા જાડેજા, ઉપપ્રમુખ ભુરાભાઈ છાંગા, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન મશરૂભાઈ રબારી,સભ્ય મ્યાઝરભાઈ
છાંગા, તાલુકા ભાજપના મહામંત્રી રૂપાભાઈ રબારી, પરમાભાઈ પટેલ, આંબાભાઈ રબારી, ગોપાલભાઈ ડાંગર, શામજીભાઈ
બરારીયા, અરવિંદભાઈ મહેશ્વરી, મુકેશભાઈ
સથવારા, લાલજીભાઈ સથવારા, શંકરભાઈ પરમાર,
કલ્પેશભાઈ પરમાર, ગોકુલભાઈ રબારી, ખોડાભાઈ રબારી સહિતના અપેક્ષિત કાર્યકતાઓ ઉપસ્થિત રહયા હતા. સંચાલન મહામંત્રી કાનજીભાઈ આહીરે અને આભારવિધી ઉપપ્રમુખ
મેહુલભાઈ આહીરે કરી હતી.