ભચાઉ, તા. 22 : અહીંના સ્વામિનારાયણ ગુરુકુળના
સ્થાપક શાસ્ત્રી કૃષ્ણદાસજીની ભાવાંજલિ સભા યોજાઈ હતી. આ દરમ્યાન ઉપસ્થિતોએ સ્વામીજીને
તેમનાં કાર્યોને યાદ કરીને અંજલિ આપી હતી. નમક ઉદ્યોગકાર બાબુભાઈ ભીમાભાઇ હુંબલ કહ્યું
હતું કે, તેઓ 15 વર્ષના હતા, ત્યારે ભુજ સ્વામિનારાયણ બોર્ડિંગમાં અભ્યાસ દરમ્યાન કૃષ્ણદાસ સ્વામીનો પરિચય
થયો હતો. તેમના પ્રયાસોથી ભુજોડીનું શૈક્ષણિક સંકુલ પ્રથમ અમુક વર્ષ માટે અપાયું અને
પછી નજીવી રકમમાં ભુજોડીનું સંકુલ કાયમી અપાવાયું
હતું. 14 વર્ષથી 5000 કન્યા અભ્યાસ કરીને આજે તેમના
ખોરડા દિપાવી રહી હોવાનું જણાવ્યું હતું. ભચાઉ ગુરુકુળને હજુ પણ ઊંચાઈએ લઈ જવા માટે તેમણે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. વી.કે.હુંબલે
જણાવ્યું હતું કે, કૃષ્ણદાસજી સ્વામીએ આહીરકુળમાં જન્મ
લઈને આહીર સમાજને ગૌરવ અપાવ્યું છે. સમાજને તેનો આનંદ છે તેમને સમાજને જાગૃત કર્યા છે. આ પૂર્વ ભુજ નરનારાયણ
દેવ નૂતનમંદિરના શાત્રી પ્રકાશદાસજી સ્વામીએ કૃષ્ણદાસજી સ્વામની વિદ્વતા, વિનય,
કાર્યની કુશળતાનું વર્ણન કરતા જણાવ્યું હતું કે, આ હજુ છોડ છે, પંરતુ તેમને રોપેલું આ સંકુલ વટવૃક્ષ બનશે અને કચ્છનું નામ રોશન કરશે. કૃષ્ણદાસ સ્વામીની
પૂર્વાશ્રમના પરિવારજનોએ દૂર-દૂર ધામથી પધારેલા સંતો મહંતોનું પૂજન કર્યું હતું. આ
પ્રસંગે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળના સંતો કૃષ્ણસ્વરૂપદાસજી અને કરણદાસજી સ્વામી
શિક્ષણની સેવા જેવી કોઈ સેવાની વાત સ્વામીને યાદ કરી તેમની પ્રસંશા કરી હતી. સૂર્યપ્રકાશ
સ્વામી ભુજ સ્વામિનારાયણ મંદિરના સંત વિશ્વવલ્લભસ્વામી, અન્ય
સંતોએ કહ્યંy હતું કે, પોતાની ફિકર કર્યા વિના સાધુ સમાજના ચિંતા કરતા આ સંત વંદનીય હતા. સંચાલન નાથદ્વારા સ્વામી નારાયણ મંદિરના મહંત
વાસુદેવ ચરણ દાસજી સ્વામીએ કર્યું હતું. આ સભામાં હનુમંતધામ નવા કટારિયાના શાસ્ત્રી
ભાનુપ્રસાદ ગોર, ભચાઉ શ્રવણ કાવડિયા આશ્રમના આત્માનંજી,
જેતપુર સ્વામિનારાયણ મંદિરના બળદેવ સ્વામી, કૃષ્ણપ્રકાશદાસ
સ્વામી, કાળુપુર અમદાવાદ મંદિરના હરિપ્રસાદ સ્વામી, મહેસાણા મંદિરના સિદ્ધ પ્રકાશ સ્વામી, મૂડી પ્રદેશના
સ્વામી મંદિરના હરિપ્રકાશ સ્વામી, જયપ્રકાશ સ્વામી, અનિરુદ્ધ સ્વામી, મુકુંદપ્રસાદ સ્વામી, જુનાગઢ રાધા રમણ દેવ પ્રદેશના શાસ્ત્રી સ્વામી, ચંદ્રપ્રકાશ
સ્વામી, અમદાવાદના બળદેવ ચરણ સ્વામી, ભુજ
મંદિરના નીલકંઠ સ્વામી, વિશ્વપ્રકાશ સ્વામી, વલ્લભ સ્વામી, કોડાઈ ગુરુકુળના શાસ્ત્રીકૃષ્ણ જીવન,
ભુજોડીથી પુરુષોત્તમ સ્વામી, ધોલેરા પ્રસાદી મંદિરથી
શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણ સ્વામી, હરિ કેશવ સ્વામી, પુરુષોત્તમ સ્વામી, ઘનશ્યામ સ્વામી, રૂદ્રાણી જાગીરના લાલગિરિ બાપુ સહિતના
હાજર રહ્યા હતા. ગુરુકુળનું શાસ્ત્રી સ્વામી
પાસે રહીને સંચાલન કરતા રાધેશ્યામ સ્વામી કોઠારી અને ધર્મનંદન સ્વામીની સંતોની સારી
સેવા કરતા હતા અને સંસ્થાના વિકાસમાં કરવામાં આવેલી સેવા બિરદાવી સમગ્ર વિસ્તારના આહીર
અગ્રેસરોને આ બંને નાના સંતની દેખભાળ રાખવા ઉપસ્થિત સંતોએ અનુરોધ કર્યો હતો. હરીપરના
સાંખ્યયોગી બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત યોગી કૃષ્ણ સ્વામી નીલકંઠ સ્વામી પણ ગુરુકુળમાં
સેવા બજાવે છે. આ પૂર્વે અંતિમ સંસ્કારમાં પૂર્વ મંત્રી વાસણભાઇ આહીર, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, શામજીભાઈ તેજાભાઈ
આહીર, જંગી મેકરણધામના વેલજીડાડા, ધારાશાસ્ત્રી
એસ.કે. વરચંદ, ગુરુકુળની જમીનના દાતા સવજીભાઈ વેરાભાઈ ચાવડા,
ઉગાભાઇ વેરાભાઈ, કારયાભાઈ, ધારાભાઈ, રાણાભાઇ આહીર, કચ્છ ચોરાડ
આહીર સમાજના પૂર્વ પ્રમુખ અને નિવૃત્ત રેવન્યુ અધિકારી કેરાસિયાભાઈ, ફતાસિંહ ગજુભા જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આરંભમાં વાલજીભાઈ આહીર દ્વારા
સ્વામિનારાયણ મહામંત્રની ધૂન રજુ કરાઈ હતી..
આયોજન વ્યવસ્થા લક્ષ્મણભાઈ તેજાભાઈ આહીર (ટી.એમ. સોલ્ટ), દુર્ગેશ
વાસણભાઈ છાંગા, પુંજાભાઈ ચાવડા, શિક્ષકો,
આચાર્ય, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સંભાળી હતી.