રાપર, તા. 22 : ભારતીય સેનાએ પાકિસ્તાનને આપેલા જડબાતોડ જવાબ અને સેનાની વીરતાને
વધાવવા રાપરમાં ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાના નેતૃત્વમાં તિરંગાયાત્રાનું આયોજન
કરવામાં આવ્યું હતું. વીર સાવરકર ચોકથી શરૂ થયેલી તિરંગાયાત્રા શહેરના મુખ્ય માર્ગો
સેલારી નાકા, સરદાર પટેલ માર્ગ,
માલીચોક, અજરામર ચોક થઈ પરત વીર સાવરકર ચોકમાં
આવી હતી. તિરંગાયાત્રાથી અને દેશ ભક્તિના ગીતોથી રાષ્ટ્રીય પર્વ જેવો માહોલ સર્જાયો
હતો. ઠેર ઠેર લોકોએ પુષ્પવૃષ્ટિ કરી યાત્રાને વધાવી હતી. રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, મામલતદાર એચ.બી. વાઘેલા,
નગરપાલિકાના પ્રમુખ ચાંદ ઠક્કર, તાલુકા ભાજપ પ્રમુખ
નશાભાઈ દૈયા, ડોલરરાય ગોર, કેશુભા વાઘેલા,
બળવંતભાઈ ઠક્કર, કુલદીપસિંહ જાડેજા, હઠુભા સોઢા, શહેર ભાજપ પ્રમુખ લાલજી કારોત્રા,
ભીખુભા સોઢા, ભરતભાઈ રાજદે, મદુભા વાઘેલા, ભારત વિકાસ પરિષદના પ્રમુખ કરણસિંહ વાઘેલા,
તાલુકા પંચાયતનાં પ્રમુખના પ્રતિનિધિ કૌશિક બગડા, મોહનભાઈ બારડ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કિશોર મહેશ્વરી,
નગરપાલિકાના ઉપપ્રમુખ બબીબેન સોલંકી, વિનુભાઈ થાનકી, હસુમતિબેન સોની, નગરપાલિકાના સદસ્યો સહિત નાગરિકો,
પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ, જીઆરડી, સરકારી કર્મચારીઓ
જોડાયા હતા. આ યાત્રા દરમ્યાન નાગસર પથ ખાતે
ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. બળબળતા તાપમાં પણ એક હાથમાં લાકડી અને બીજા હાથમાં
તિરંગા સાથે 90 વર્ષીય વૃદ્ધા ઉત્સાહ સાથે
જોડાયા હતા.