માતાના મઢ (તા. લખપત), તા. 22 (પ્રતિનિધિ
દ્વારા) : આશાપુરા રાજપૂત (ક્ષત્રિય) અતિથિગૃહ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્વ. મહારાવ
પ્રાગમલજી ત્રીજા અતિથિભવનનાં નામકરણ સમારોહ પ્રસંગે યાત્રિકોના રાત્રિરોકાણ માટે 25 રૂમ, વિશાળ હોલ સહિતનું બાંધકામ યાત્રિકો માટે ખુલ્લુ
મુકાયું હતું. તેમજ માતાના મઢ સ્થિત સ્વ. પ્રાગમલજી જાડેજાની જમીન ક્ષત્રિય સમાજવાડી
હેતુ ભેટ આપવા ઘોષણા કરાઈ હતી. રાજ પરિવારના મહારાણી પ્રીતિદેવીના અધ્યક્ષસ્થાને યોજાયેલા
કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના શ્રેષ્ઠી દાતાઓનું મઢ જાગીરના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહના
હસ્તે સન્માન કરાયું હતું. અતિથિભવનના મુખ્ય દાતા રાજ પરિવારના મહારાણી પ્રીતિદેવીએ
51 લાખનું દાન આપી ભવનનો પાયો
નાખ્યો હતો. આ પ્રસંગે પ્રીતિદેવી વતી ઈન્દ્રજિતસિંહ જાડેજા દ્વારા માતાના મઢ સ્થિત
સ્વ. પ્રાગમલજી જાડેજાની જમીન સમાજવાડી બનાવવાના હેતુથી ક્ષત્રિય સમાજના ટ્રસ્ટને દાન
આપવાની જાહેરાત કરાઈ હતી. ભવનના મુખ્ય હોલના દાતા સ્વ. પ્રહલાદસિંહ મહિપતસિંહ જાડેજા
પરિવાર હસ્તે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા રૂા. 25 લાખ દાન, મુખ્ય પ્રવેશદ્વાર માટે સ્વ. વિશ્વજિતસિંહ અનિરુદ્ધસિંહ
જાડેજા પરિવાર હસ્તે સહદેવસિંહ જાડેજા તથા રઘુવીરસિંહ માનભા જાડેજા દ્વારા રૂા. 25 લાખ દાન, ભોજનાલયના દાતા પૂર્વપ્રમુખ જોરાવરસિંહ કેશરસિંહ
રાઠોડ તરફથી રૂા. 11 લાખ દાન, જામનગરના ધારાસભ્ય રીવાબા આર. જાડેજા તરફથી
રૂા. 11 લાખ દાન અપાયું હતું. રાજ્યસભાના
સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા રૂા. 25 લાખની ગ્રાન્ટ તથા અન્ય સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ રૂા. 21 લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત
કરી હતી. અતિથિભવનનાં નિર્માણમાં 25 જેટલા રૂમો બનાવાયા છે. જેમાં એક રૂમના દાતા રૂા. 2,51,000 લેખે 25 દાતાઓ - ક્ષત્રિય સમાજના અગ્રણીઓ
દ્વારા દાન અપાયું હતું, જેમાં સ્વ.
રેખાબા વનરાજસિંહ જાડેજા (ધ્રોલ, જામનગર), નવલસિંહ જે. વાઘેલા (બાબિયા-મુંદરા), ભગીરથસિંહ જાડેજા
(નગડિયા, હાલે પોરબંદર), વેસલજી મોડજી તુંવર
(ભાડરા), મંગલસિંહ સુજાનસિંહ સોઢા (માતાના મઢ), ચમનસિંહ સામતજી સોઢા (કુરિયાણી), સ્વ. સામતજી ચાંદાજી
જાડેજા હસ્તે સુરૂભા સામતજી જાડેજા (બૈયાવો), વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ
જેઠવા (મોરાણા, પાનધ્રો), ભરતસિંહ જુવાનસિંહ
જાડેજા (આરીખાણા), હકુભા કે. વાળા (ઉપલેટા), ગિરીરાજસિંહ શિવુભા સોઢા (પાનધ્રો), કુલદીપસિંહ વી. જાડેજા
(પોરબંદર), દિગ્વિજયસિંહ ઝાલા (કમાલપુર ભાલ), તિલાટ પરિવારના દિલુભા ભગુભા ચૌહાણ (માતાના મઢ), સ્વ.
સામતસિંહ ભાવસંગજી જાડેજા હ. જેતમાલજી જાડેજા (પ્રમુખ ક્ષત્રિય સમાજ, લખપત), હઠુભા જાડેજા (લોરિયા), ઘનશ્યામસિંહ જાડેજા (તરા-મંજલ), રણજિતસિંહ જાડેજા (મોટી
ચીરઈ), સ્વરાજસિંહ જાડેજા હ. મોહબતસિંહ જાડેજા (સાંયરા),
ભૂપેન્દ્રસિંહ જાડેજા (વરાડીગઢ રાજકોટ), પૃથ્વીરાજસિંહ
જાડેજા (રાજકોટ), ચંન્દ્રાબા જાડેજા (કનૈયાબે), ડો. જિગરસિંહ જાડેજા - રાજકોટ, પ્રવીણસિંહ જાડેજા,
અજિતસિંહ જાડેજા, સત્યજિતસિંહ જાડેજા (નાના મૌવા)
સહિતના દાતા સહયોગી રહ્યા હતા. આશાપુરા રાજપૂત (ક્ષત્રિય) ટ્રસ્ટના પ્રમુખ તથા ધારાસભ્ય
પ્રદ્યુમનસિંહ જાડેજાએ સૌ દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો.