• રવિવાર, 01 જૂન, 2025

પક્ષના ગદ્દારો માટે હકાલપટ્ટી એ જ માર્ગ

ભુજ, તા. 20 : કચ્છ જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્યસભાના સાંસદ તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભુજમાં કચ્છના કોંગ્રેસ પક્ષના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં પક્ષ સાથે ગદ્દારી કરનારા માટે હકાલપટ્ટી એક જ માર્ગ હોવાનું તેમણે કહ્યું હતું. કાર્યક્રમમાં જયવીરસિંહ જાડેજા, અમીરઅલી લોઢિયા, ઇકબાલ મંધરા, દેવેન્દ્રસિંહ જેઠવા, રફીક મારા, કિશોરદાન ગઢવી, લાખાજી સોઢા, અજિતસિંહ જાડેજા, ખેરાજ ગઢવી, અલીભાઇ જત, દેવેન્દ્રસિંહ જાડેજા, વિરમભાઇ ગઢવી, અકબર મંધરા, પુનિત જોષી, કાનજી સોંધરા, શંભુ ડાંગર, યુવરાજસિંહ વાઘેલા, રાજેશ આહીર, ભરત ગુપ્તા, દેવેન્દ્ર ઝાલા, બળુભા જાડેજા, મનજી રાઠોડ, ભીખુ સોલંકી, અશોક રાઠોડ, કાસમ સમા, મુસ્તાક હિંગોરજા, સમીપ જોષી, મહાદેવા ચૌધરી, નવીનભાઇ ફફલ, કેતન પાંચાણી, ઇશા મેરાણ મુતવા, અભેરાજ સમા, ઘનશ્યામસિંહ ભાટી, રસીકબા જાડેજા, ઉમર સમા, પુષ્પાબેન સોલંકી, અલ્પેશ ઝરૂ, મિલેશ ભાનુશાલી, આઇશુબેન સમા, અમૃતા ગુપ્તા, અભુ હિંગોરજા, ઋષિરાજસિંહ જાડેજા, લતીફ ખલીફા, પન્ના રબારી, દશરથ જોષી, રાજેશ સોની વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન શહેર કોંગ્રેસના પ્રમુખ કિશોરદાન ગઢવીએ કર્યું હતું. પ્રાસંગિક ઉદ્બોધન વાલજીભાઇ દનિચા, વી.કે. હુંબલ તથા મંચસ્થ આગેવાનો ભચુભાઇ અરેઠિયા, ઇભરામભાઇ મંધરા, અરજણ ભુડિયા, સલીમ જત, ભરતભાઇ સોલંકી, જુમાભાઇ રાયમા વિગેરેએ કર્યું હતું. જિલ્લા પ્રમુખ યજુર્વેન્દ્રસિંહ જાડેજાએ આવકાર આપ્યો હતો. 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોંગ્રેસ પક્ષ જંગી બહુમતીથી જીતશે તથા પક્ષનું સંગઠન પણ વધુ મજબૂત કરી ગામડા-શહેરોના બૂથ દીઠ જઇ એ કાર્યક્રમો આગામી સમયમાં કચ્છ કોંગ્રેસ આપશે, તેમ તેમણે કહ્યું હતું. પ્રદેશ પ્રમુખ શ્રી ગોહિલે ઉદ્બોધન આપતાં કચ્છી લોકોએ હંમેશાં પ્રેમ આપ્યો છે, તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કચ્છે જ્યારે ભારતીય જનતા પાર્ટી 6 ધારાસભ્ય કચ્છમાંથી મોકલ્યા છે, પણ કચ્છની જનતાને એની સામે ભાજપે કચ્છને લૂંટવાનું કાવતરું રચ્યું છે. ખનિજના નામે સૌથી મોટું કૌભાંડ તથા ચોરી કરી ભાજપના નેતા સંકળાયેલા હોવા છતાં કાર્યવાહી શૂન્ય છે. કચ્છના બેરોજગાર યુવાનોનું પ્રમાણ મોટાપાયે છે. રોજગાર હજુ સુધી મળતો નથી. કચ્છી જનતાને નર્મદા નીર, શિક્ષણ, આરોગ્ય સામે ક્યારેય કશું મળ્યું જ નથી. આતંકવાદ સામે લડી લેવાની વાત કરતાં ભારતીય જનતા પાર્ટી શાસનમાં વધુમાં વધુ આતંકી હુમલા થયા છે. કોંગ્રેસ પણ હંમેશાં આતંકવાદ સામે લડી લેવાના મૂડ સાથે સરકાર સાથે ઊભી રહી છે. દેશની સુરક્ષા માટે કોંગ્રેસ પણ સરકાર સાથે રહેશે તેમ તેમણે કહ્યું હતું. પક્ષના આગેવાનોને સ્પષ્ટપણે તેમણે જણાવ્યું હતું કે, સત્તા સુધી પહોંચવાનું નહીં પણ લોકોના અધિકારો માટે, અન્યાય સામે કચ્છ કોંગ્રેસના આગેવાનોએ કચ્છના મુદ્દા માટે આક્રમક રીતે લડવું પડશે, તેની સાથે રહેવું પણ પડશે, તેવું શ્રી ગોહિલે જણાવ્યું હતું. પક્ષની સાથે રહીને ગદ્દારી કરનારાની કોંગ્રેસ પક્ષ તાકીદે હકાલપટ્ટી કરશે, તેમને પક્ષમાં સ્થાન નહીં મળે તેવી વાત કરી હતી. લોકસભાના ઉમેદવાર રહી ચૂકેલા નીતેશ લાલણે પ્રાસંગિક ઉદ્બોધન આપી યુવાનો માટે લડત ચલાવવાની વાત કરી હતી. સંચાલન રામદેવસિંહ જાડેજા અને ગનીભાઇ કુંભારે, આભારવિધિ લાખાજી સોઢાએ કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd