કનૈયાલાલ જોશી તરફથી : મુંબઈમાં
સૌથી મોટું ડાયગ્નોસ્ટિક સેન્ટર (નિદાન કેન્દ્ર) અને વેલનેસ સેન્ટર વિલેપાર્લે પૂર્વમાં
શરૂ થઈ રહ્યું છે. મુંબઈ ડાયગ્નોસ્ટિક સેન્ટર ઍન્ડ ક્વેસ્ટ વેલનેસનું ઉદ્ઘાટન રવિવાર, તા. 11/5ના સાંજે 5.00 વાગ્યે થવાનું છે. ઉદ્ઘાટન નવનીત
પરિવારના હસ્તે થવાનું છે. વિલેપાર્લે પૂર્વમાં મહિલા સંઘ સ્કૂલની સામે ગાલા ક્વેસ્ટ બિલ્ડિંગ, બી/બી - 1થી 6, રોડ નં. 1, પરાંજપે
સ્કીમ સ્થળે આ વિશાળ અને અદ્યતન સાધનોથી સુસજ્જ સેન્ટર ખૂલવાનું છે. જે એક જ માળ પર
10 હજાર
ચોરસફૂટ જગ્યામાં છે. - તમામ રોગોનું નિદાન - સારવાર : આ વિરાટ ડાયગ્નોસ્ટિક સેન્ટરની
વિશેષતા એ છે કે, તમામ પ્રકારના નિદાન એક છત નીચે
થશે અને સારવાર પણ ઉપલબ્ધ કરાશે. એક વખત સેન્ટરમાં આવેલા દરદીને પછી બીજે ક્યાંય જવાની
જરૂર નથી. કૅન્સરનું નિદાન અને સારવાર થશે. આ સિવાય સોનોગ્રાફી, એક્સ-રે, ટુડી-ઈકો, દાંત વિભાગ,
પેથોલોજી, મેમોગ્રાફી (સ્તન કૅન્સર તપાસ),
હાડકાંના રોગની તપાસ (બીએમડી) + પેટસીટી, ગામા
કેમેરા હાઈડોઝ થેરપી, લો ડોઝ થેરપી, અલ્ટ્રા
સાઉન્ડ, બ્લડ ટેસ્ટસ વગેરે. - ક્વેસ્ટ
વેલનેસ સર્વિસ : ક્વેસ્ટ વેલનેસ સર્વિસમાં સંપૂર્ણ ફિઝિકલ અને મેન્ટલ
વેલનેસ કેર, હેર ટ્રાન્સ્પ્લાન્ટ, હેર રિડક્શન, જઊઅછ, ઓક્સિજન થેરપી,
આઈબી થેરપી, કોલન થેરપી, બોડી કોન્ટયુરિંગ (મોટી વયના માટે ખાસ) એન્ટિ એજિંગ, એકને (ખીલ-મસા) જેવી બીમારીઓનું નિદાન થશે. - ચાર
પાયોનિયર : મુંબઈ
ડાયગ્નોસ્ટિક સેન્ટર ઍન્ડ ક્વેસ્ટ વેલનેસ ગૌરવ વસંતભાઈ ગલિયા, ડૉ. સિદ્ધાર્થ પારેખ, ડૉ. ભાવિન વિસરિયા અને ડૉ. મોહિત
અગરવાલે શરૂ કર્યું છે. - સ્વપ્નદૃષ્ટા અને પ્રેરક : આ
ડાયગ્નોસ્ટિક સેન્ટરના સ્વપ્નદૃષ્ટા વસંતભાઈ ગલિયા છે. 40 વર્ષથી
મેડિકલ સેવા ક્ષેત્રે સક્રિય છે. એક છત નીચે બધી સેવા મળે અને રાહતદરે મળે એ એમનું
સપનું પુત્ર ગૌરવ ગલિયાએ પિતાના રાહે ચાલીને પૂર્ણ કર્યું છે. વસંતભાઈ ગલિયાએ જણાવ્યું
કે,
ચાર દાયકા કરતાં વધુ સમયથી મેડિકલ ફિલ્ડમાં સમાજસેવક તરીકે કામ કરું
છું. કોઈ પણ માંદગી આવે ત્યારે લોકોને મોઢે મારું નામ આવે. માત્ર કચ્છી જૈન સમાજ નહિ,
બીજા સમાજના લોકોને પણ મદદ કરી. એક અનુભવ થયો કે, એક હૉસ્પિટલમાં બધી જ સગવડો ઉપલબ્ધ ન હોવાથી દરદીને દોડાદોડી કરવી પડતી. તેના
કારણે ખર્ચ વધી જતો. ક્યારેક ડૉક્ટર હાજર ન હોય એવું પણ જોયું. - પેટસીટી
તપાસ ઉપલબ્ધ : કૅન્સર રોગની તપાસણી માટે પેટસીટી
તપાસની સગવડ પાર્લા, સાંતાક્રુઝ, ખારમાં નથી. અંધેરી - પાર્લાની મોટી હૉસ્પિટલોમાં છે પણ તેના દર ઊંચા હોવાથી
બધા દરદીઓને પરવડે નહિ એટલે બધી સેવા એક છત નીચે મળે અને રાહતદરે મળે એવી સગવડ કરવાનો
વિચાર આવ્યો. આ સેન્ટરનો ઉદ્ભવ થયો જે કામ ગૌરવ ગલિયાએ પાર પાડયું છે. ગૌરવ ગલિયાએ
કોરોના વખતે સેવા બજાવી હતી તેમાં ત્રણ ડૉક્ટરોનો સાથ મળ્યો છે. - વેલનેસ
સેન્ટર : વેલનેસ
સેન્ટર બીજે નથી. જેમ કે મોટી વયના લોકોને પેશાબ પર નિયંત્રણ રહેતું નથી. છૂટી જાય
છે. તેનું મશીન છે જેમાં દરદીએ માત્ર ખુરશી પર બેસી રહેવાનું છે. મશીન તેનું કામ કરતું
હોય તેની પેશન્ટને ખબર પડતી નથી. તેવી રીતે આંતરડાં સાફ કરવાનું મશીન વસાવ્યું છે.
જે બીજા નિદાન કેન્દ્રોમાં નથી. આંતરડાં સાફ થતા હોય છે જે દરદીને દેખાય. એ રીતે માથાના
વાળ ઉતરી ગયા હોય તો ફરી ઉગી શકે છે. આ સારવારથી દરેક વડીલ 10-20 વર્ષ
નાના થઈ જશે. આ તમામ સેવા રાહતદરે અપાશે. તેથી વધુ ને વધુ લોકો તેનો લાભ લઈ શકશે. - ઉદ્ઘાટન
સમારોહ : ઉદ્ઘાટન
સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે નવનીત પરિવાર ઉપસ્થિત રહેશે અને ઉદ્ઘાટન તેમના હસ્તે
કરવામાં આવશે. વસંતભાઈએ જણાવ્યું કે, નવનીત પરિવારનો
મને હંમેશાં સાથ અને સહકાર મળ્યો છે. સમારોહમાં બધા ભાઈઓ હાજરી આપવાના છે. અમદાવાદથી
પણ આવવાના છે. અલબત્ત, સમારોહ આમંત્રિતો પૂરતો સીમિત રાખ્યો છે.
- નવનીત
રેડિયેશન કેર સેન્ટર : વસંતભાઈ ગલિયાએ જણાવ્યું કે મીરા રોડની ભક્તિવેદાંત
હૉસ્પિટલના સંકુલમાં નવનીત રેડિયેશન કેર સેન્ટર છેલ્લા એક વરસથી ચાલુ છે જેમાં પેટસ્કેન
મશીન શરૂઆતથી જ છે જેનાથી કૅન્સરનું નિદાન થાય છે. અત્યાર સુધી 4 હજારથી
વધુ દરદીને લાભ મળ્યો છે. માત્ર રૂા. 9 હજારમાં તપાસ થતી હતી. હવે રૂા.
10 હજાર
કરાયા છે. મોટી હૉસ્પિટલોમાં 25થી 40 હજાર રૂા. ચાર્જ કરે છે, હવે રેડિયેશન મશીન પણ ચાલુ થઈ ગયું છે. જેની સેવા વાજબી ભાવે અપાશે. ઓરેન્જ
રૅશન કાર્ડધારકને વિનામૂલ્યે સેવા અપાશે. એમણે કહ્યું, `મને
નવનીત પરિવારે સૌથી વધુ સાથ -સહકાર આપ્યો છે. આ સિવાય કચ્છી સમાજ, જૈન સમાજ, ગુજરાતી સમાજનો પણ સહકાર મળ્યો છે. મીરા રોડનું
સેન્ટર ઋણાનુબંધ ટ્રસ્ટના નેજા હેઠળ ચાલુ છે.