• મંગળવાર, 01 જુલાઈ, 2025

દુશ્મનો પર રહેશે ભારતની બાજનજર

નવી દિલ્હી, તા. 30 : ઓપરેશન સિંદૂર બાદ ભારત મોટી તૈયારીમાં લાગી ગયું છે. ભારત એક-બે નહીં પણ 52 ઉપગ્રહ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ તમામ સેટેલાઈટ સંપૂર્ણ રીતે સેના માટે કામ કરશે. જેનાથી પાકિસ્તાન સહિત દુશ્મન દેશોના વિસ્તારના ખૂણે ખૂણે નજર રહેશે. આ ઉપરાંત સેના માટે એક વિશેષ સ્પેસ ડોકિટ્રીનને અંતિમ રૂપ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે.  ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે સેટેલાઈટ સિસ્ટમના દમ ઉપર સફળતા સાથે પાકિસ્તાનના વિભિન્ન સૈન્ય મથકોની દેખરેખ કરી હતી. જેનાથી સેનાને સટીક લક્ષ્ય મેળવવામાં મદદ મળી હતી. ભારત દ્વારા સેટેલાઈટ લોન્ચ સ્પેસ બેસ્ડ સર્વેલન્સ કાર્યક્રમ ત્રીજા તબક્કાનો હિસ્સો છે. આ યોજનાને ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં પીએમ મોદીના નેતૃત્વની સુરક્ષા કેબિનેટ કમિટિમાં મંજૂરી મળી હતી. જેની કુલ પડતર 26,968 કરોડ રૂપિયા છે. આ પ્રોગ્રામ હેઠળ 21 સેટેલાઈટ ઈસરો લોન્ચ કરશે. બાકીના 31 સેટેલાઈટ ખાનગી કંપનીઓ દ્વારા લોન્ચ કરવામાં આવશે. પહેલા બે ઉપગ્રહ આગામી વર્ષે એપ્રિલ મહિનામાં લોન્ચ કરવામાં આવશે. જ્યારે 2029ના અંત સુધીમાં તમામ 52 ઉપગ્રહ અવકાશમાં તૈનાત કરી દેવામાં આવશે.

Panchang

dd