ભુજ, તા. 22 : એસ.બી.આઈ.ની મિરજાપર બ્રાન્ચમાંથી
વિશ્વકર્મા ફેબ્રિકેશનના માલિક જિજ્ઞેશ મોહનલાલ વાઘેલા, રહે. મિરજાપરએ લોનનું ધિરાણ મેળવ્યા બાદ લોન
ન ભરતાં બેંક વતી દાવો દાખલ કરી હુકમનામું મેળવ્યો હોવા છતાં લોનધારકે લોનની રકમ ન
ભરતા તથા જંગમ તથા સ્થાવર મિલકતમાંથી વસુલ થઈ શકે તેમ ન હોઈ. હુકમનામાનો ઈરાદાપૂર્વક
અનાદર કરવા બદલ 30 દિવસની સિવિલ
જેલમાં બેસાડવાનો હુકમ પ્રિન્સીપાલ સિવિલ જજ (એસ.ડી.)એ કરી લોન ન ભરનારા સામે લાલ આંખ
કરી ધાક બેસાડતો હુકમ આપ્યો છે. બેંક વતી ભુજના એડવોકેટ કૈવલ્ય એચ. વૈશ્નવ હાજર રહ્યા
હતા.