• ગુરુવાર, 02 એપ્રિલ, 2026

અવસાન નોંધ

ભુજ : કચ્છી સારસ્વત બ્રાહ્મણ જોષી લીલાવંતીબેન નવીનચંદ્ર (ધતુરિયા) (ઉ.વ. 78) તે સ્વ. નવીનચંદ્ર અમૃતલાલના પત્ની, સ્વ. જશોદાબેન અમૃતલાલના પુત્રવધૂ, સ્વ. સાવિત્રીબેન ચંદુલાલ કરશનદાસ (બાબુભાઈ) સુડિયા (મુંદરા)ના પુત્રી, રેણુકા, અલ્પેશ, મનીષા, ભાવિકાના માતા, જયેશ દિનેશભાઈ રાડિયા, માલતી (મૈત્રી), રોહિત શંકરલાલ રત્નેશ્વર, કિશોર ચંદુલાલ વોરાના સાસુ, સ્વ. સાવિત્રીબેન ભવાનીશંકર, સ્વ. મંજુલાબેન મૂળશંકરના દેરાણી, ગં.સ્વ. પ્રવીણાબેન કનૈયાલાલ, ગં.સ્વ. હર્ષાબેન દિનેશચંદ્રના જેઠાણી, ગં.સ્વ. હસ્તાબેન મોહનલાલ ટેવાણી, ગં.સ્વ. વસંતબેન દેવશંકર ટેવાણી, ગં.સ્વ. ભગવતીબેન ખરાશંકર પંડ્યાના ભાભી, ભૂપેન્દ્ર ચંદુલાલ, છોટાલાલ, દેવેન્દ્ર, શારદાબેન, પ્રવીણ, જયેન્દ્ર, જયેશ, રમેશના બહેન, સ્વ. રેખાબેન ભૂપેન્દ્રના નણંદ, જિતેન્દ્ર, કપિલ, જતિન, પ્રતીક, રાજન, રજત, પ્રફુલ્લા બટુકભાઈ સાયલ, ઉષા મયૂરભાઈ સાયલ, જ્યોત્સના લહેરીકાંત ટેવાણીના કાકી, સારીકા ચેતનકુમાર લછ્છા, પ્રજ્ઞેશ, બ્રિજેશ, રાજેન્દ્ર, અનિલ (એડવોકેટ - માજી પ્રમુખ, ભુજ બાર એસોસીએશન)ના ફઈ, ત્વિષા, કલ્પના દાદી, ગાર્ગી ચિંતનકુમાર કુંડલિયા, દ્રષ્ટિ મોહિતકુમાર આશર, ગૌરવ, કરણ, ખુશી, માનવના નાની તા. 31-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-4-2026ના ગુરુવારે સાંજે 5થી 6 માતૃશ્રી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મંદિર, ભુજ ખાતે.

ભુજ/સુરત : ગં.સ્વ. ઠા. લતાબેન રાજેશભાઈ કોટક (ઉ.વ. 50) તે સ્વ. જયશ્રીબેન કાંતિલાલ રામજી કોટકના પુત્રવધૂ, સ્વ. રાજેશભાઈ કાંતિલાલ કોટકના પત્ની, કમલેશભાઈ કોટક (સુરત), દીપેનભાઇ કોટક (સુરત)ના ભાભી, કવિતાબેન કોટકના દેરાણી, ડિમ્પલબેન કોટક (સુરત)ના જેઠાણી, ઓમ, રિદ્ધિના માતા, ધીરજભાઈ વિજયભાઈ કમાણી (પૂના)ના સાસુ, સ્વ. મંગલદાસ સુંદરજી અનમ (ના.સરોવર)ના પૌત્રી, સ્વ. કમળાબેન લાલજીભાઈ અનમ (ભુજ)ના પુત્રી, બકુલ અનમ (સુરત), હીરેન અનમ (ભુજ) સ્વ. જયશ્રીબેન દિનેશભાઈ કતિરા (નેત્રા), હિનાબેન કમલેશભાઈ કોટક (સુરત)ના બહેન, સ્વ. મુલજી મંગલદાસ અનમ (ભુજ), સ્વ. જેન્તીલાલ મંગલદાસ અનમ (ભુજ), સ્વ. મહેન્દ્ર મંગલદાસ અનમ (દયાપર), ઠા. રમેશચંદ્ર મંગલદાસ અનમ (દયાપર), સ્વ. પુષ્પાબેન કાનજીભાઈ ધીરાવાણી (ભુજ)ના ભત્રીજી, જિજ્ઞાબેન બકુલભાઈ અનમ (સુરત), આશનાબેન હીરેનભાઈ અનમ (ભુજ)ના નણંદ મોક્ષીકા આકાશભાઈ ચોથાણી, પાર્થના માસી કાકી તા. 1-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-4-2026ના સાંજે 4થી 5 તેરાપંથ ભવન, ઉધના, સાઉથ ઓનની સામે, સુરત ખાતે તથા તા. 5-4-2026ના બિલેશ્વર મહાદેવ મંદિર, માતુશ્રી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ નાની વમોટીના નારાયણભાઈ દેસરભાઈ સુડિયા (નિવૃત્ત ભારત પેટ્રોલિયમ) (ઉ.વ. 72) તા. 31-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-4-2026ના ગુરુવારે સાંજે 5થી 7 સેકટર 7, મહેશ્વરી સમાજવાડી ખાતે.

અંજાર : મૂળ સતાપરના ગં.સ્વ. તારાબેન લાલજી ભાઈ વોરાણી (ઉ.વ. 84) તે સ્વ. લાલજીભાઈ શામજીભાઈ વોરાણીના પત્ની, સ્વ. જશોદાબેન શામજીભાઈ વોરાણીના પુત્રવધૂ, સ્વ. પાર્વતીબેન શામજીભાઈ ઠક્કરના પુત્રી, સ્વ. કાંતાબેન, સ્વ. લીલુબેન સ્વ. બબીબેન, નવીનભાઈના ભાભી. સ્વ. હંસાબેનના જેઠાણી, અનિતાબેન પ્રવીણકુમાર પલણ, સ્વ. ભાવનાબેન બાબુલાલ ચંદારાણા, પુષ્પાબેન નટવરલાલ સોમેશ્વર, પ્રીતિબેન નીતિનભાઈ સોનેતા. શાંતુબેન ખટાઉભાઈ સોમેશ્વર, પ્રજ્ઞાબેન મહેશકુમાર રાવલિયા, જિજ્ઞેશભાઈ, ભરતભાઈના માતા લક્ષ્મીબેન અને નિશાબેનના સાસુ, ભાવિકા જયના મોટીમા, યશ, દિયા, હેન્સી વિવેકકુમાર કતિરા, પરી ,વેદ, અંશ, વંશના દાદી, હિરેન, નીતિન, હિના, નેહુલ, નિશા, જિજ્ઞા, બાદલ, સિના, કોમલ, પાર્થ, સચિન, મિતેષ, રોશની, વિપુલ, મેહુલ, વિવેકના નાની તા. 31-3-2026ના અવસાન પામ્યસા છે. પ્રાર્થનાસભા તા. 3-4-2026ના શુક્રવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, રાજેન્દ્ર દેવજી કોડરાણી માર્ગ, સવાસર નાકા, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)

મુંદરા : ગં.સ્વ. નર્મદાબેન ભાણજીભાઇ સોલંકી (ઉ.વ. 95) તે સ્વ. ભાણજીભાઇ લક્ષમણભાઇ સોલંકીના પત્ની, સ્વ. કરસનભાઈ મેરૂભાઇ પરમાર, સ્વ. ભાનુબેન મેઘજીભાઈ ગોહિલના મોટા બહેન, સ્વ. શાંતાબેન વિશ્રામભાઈ સોલંકીના દેરાણી, ગજેન્દ્રભાઈ, જયાબેનના માતા, સ્વ. ચમનભાઈ રાઠોડ, તરલિકાબેનના સાસુ, તુષાર, એકતાના દાદી, મનીષા, ભગીરથના દાદીસાસુ, ઈશ્વરભાઈ, શૈલેષભાઇ, દિનેશભાઇ, રસીલાબેન, ગીતાબા, માયાબેન, સુશીલાબેનના કાકી, સ્વ. નીતા, સ્વ. મયૂર, શીલા, પૂનમના નાની, જાગૃતિબેન,પરેશભાઈ, જિતેન્દ્રભાઈ, અમન, ચિંતનના દાદી, રુદ્રના પરદાદી, સ્વ. ધ્રુવ, પ્રિસા, શોર્ય, દિપસા, મેહા, જીલ, નરેન્દ્રના પરનાની તા. 1-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-4-2026ના શુક્રવારે સાંજે 5થી 6 ખારવા સમાજવાડી, મુંદરા ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ મોરજરના નર્મદાબેન નવીનભાઈ (ભીખુ) જોષી (ઉ.વ 56) તે સ્વ. વાલબાઈ કાકુ જોષીના પુત્રવધૂ, જોષી રૂપાબેન (ભુજ), સ્વ. જાગૃતિબેન બેચરલાલ (જુણાગિયા)ના ભાભી, કલ્પનાબેન નાયક, ખુશીબેન, દિયાબેન, ગૌતમના માતા, રાજવીરના નાની, વિશાલ, સચિન, રઘુવીરના મામી તા. 1-4-2026ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 3-4-2026ના સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી નિવાસસ્થાને ભવાની હોટેલની પાછળ, જૂનાવાસ, માધાપર ખાતે.

નાગોર (તા. ભુજ) : નાગીયા (ખલીફા) સોનબાઇ દાઉદ (ઉ.વ. 87) તે જુસબ (માસ્તર), ઇબ્રાહિમ, ઓસમાણ, શરીફાબાઇ, જેનાબાઇના માતા, લતીફ ઉમર, મ. જુમા ઉમરના ભાભી, મ. સુમાર, મ. સિધીક, કાસમ માસ્તર (શિકરાવાળા)ના બહેન, મ. ઇશાક ઓસમાણ (બાડા), ગફુર ફકીરમામદ (સુખપર)ના સાસુ, સતાર, રીયાઝ, ઇમ્તિયાઝ, રફીક, ફિરોજના દાદી, અમીન, અલ્તાફ, શકીલ ઇમરાનના નાની તા. 31-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-4-2026ના શુક્રવારે સવારે 10થી 11 મસ્જિદની બાજુમાં, નાગોર ખાતે.

રામપર-વેકરા (તા. માંડવી) : નાનજી નારણ રાજાણી (કેરાઇ) (ઉ.વ. 47) તે પુષ્પાબેનના પતિ, સ્વ. નારણ સામજી રાજાણી અને ધનબાઇના પુત્ર, જયમીત, ભાવિકના પિતા, શિવાનીના સસરા તા. 1-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-4-2026ના શુક્રવારે સવારે 7.15થી 8.15 ભાઇઓની સ્વામિનારાયણ મંદિર, નવાવાસ અને બહેનોની નિવાસસ્થાને.

જામથડા (તા. માંડવી) : શંભુદાન નારાણજી ગઢવી (રોહડિયા) (ઉ.વ. 78) તે ગં.સ્વ. લક્ષ્મીબેનના પતિ, સ્વ. લક્ષ્મીબેન ચતુરદાન રેઢ, પાર્વતીબેન ખાનજી ખડિયાના ભાઈ, મોરારદાન, ગિરધરદાન, ધનબાઈ પુષ્પદાન સૂરતાણિયા, રાધા હિતેષદાન દેથા, નંદા નરેન્દ્રદાન રેઢના પિતા, ભાવનાબેન, નીતાબેનના સસરા, સ્વ. ખાનજી ઈશ્વરદાન સૂરતાણિયાના જમાઈ, સ્વ. દિનેશદાન, કિશોરદાનના બનેવી તા. 31-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 4-4-26 શનિવાર સુધી ભાઈઓ માટે કોમ્યુનિટી હોલ, જામથડા ખાતે અને બહેનો માટેનું નિવાસસ્થાને.

ભોજાય (તા. માંડવી) : ગં.સ્વ. ખમીબેન હધુભાઈ સંગાર સરવૈયા (ઉ.વ. 75) તે સ્વ. હધુભાઈ રમાભાઈના પત્ની, સ્વ. સામતભાઈ રમાભાઈના નાના ભાઈના પત્ની, સ્વ. મંગલભાઈ રમાભાઈના ભાભી, ગાભાભાઈ, પ્રવીણભાઈ, ખીમજીભાઈ, કરશનભાઈ, સોનબાઈ, પુરબાઈ, જયશ્રીબેનના માતા, જયેશ, દીપકક્રિશ, ક્રિષ્નાના દાદી તા. 1-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 1-4થી 3-4 (ત્રણ દિવસ) પ્રવીણભાઈના નિવાસસ્થાને સર્વોદય હોસ્પિટલની બાજુમાં, ભોજાય ખાતે.

ડોણ (તા. માંડવી) : મોખા અમીનાબાઈ (ઉ.વ. 75) તે બાવલા ઓસમાણના પત્ની, સલીમ, રિયાઝના માતા, નારેજા ફકીરમોહમ્મદ (કોડાય), શઠીયા આદમ (ગોધરા), જુણેજા સિકન્દર (રાયણ), ચાવડા જુણસ (વિંઝાણ) અને ચવાણ અબ્બાસ (ફરાદી)ના સાસુ, ભજીર અકબર હસન અને ભટ્ટી ઝહીરના નાની, મ. હાસમ, મ. ઇસ્માઇલ, આધમના ભાભી, મ. ભજીર ખમીશા અભુ (રોહા)ના પુત્રી તા. 1-4-2026ના અવસાન પામ્યા છે. વાયઝ-જિયારત તા. 4-4-2026ના શનિવારે સવારે 11થી 12 મસ્જિદ એ મુસ્તફા, ડોણ ખાતે.

ગાંધીધામ : ગં.સ્વ. હીરાબેન ભોગીલાલ ઠક્કર (હારિજવાળા), (હાલમાં ગાંધીધામ) તે ડો. શૈલેષ ઠક્કર, ડો. નીતિન ઠક્કરના માતા, ડો. વિભૂતિબેન, ડો. જાગૃતિબેનના સાસુ, રસિકલાલ દયારામભાઈ ઠક્કર, શંભુલાલ દયારામભાઈ ઠક્કરના ભાભી તા. 1-4- 2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા  તા. 2-4- 2026ના ગુરુવારે  સવારે 9.15 વાગ્યે  નિવાસસ્થાન પ્લોટ નંબર 222, સેક્ટર 4 (અંબે મા મંદિરની બાજુમાં), ઓસ્લો સોસાયટી, ગાંધીધામથી નીકળી ડીસી-5 પાછળ આવેલ મોક્ષધામ, ગાંધીધામ ખાતે જશે.

ધાણેટી (તા. ભુજ) : હાલે ભુજ ચાકી હાજી રહેમતુલ્લા તે જુસબ આધમના પુત્ર, જુસબ તૈયબ, મ. આમદ તૈયાબના ભાણેજ, હાજી ઇબ્રાહિમ (ફોરેસ્ટ), હાજી અજીજ (ફોરેસ્ટ), લતીબના મોટા ભાઇ, જુસબ મામદના સાળા, કરીમમાદ બુઢ્ઢાના કાકાઇ ભાઇ, તાલબ ઉમર, સિધીક ઉમરના બનેવી, આધમ, ઇસ્મસાઇ, ઇમરાન, ગનીના પિતા, આરબ, અદ્રેમાન, જુસબ, આમદ (બાપાડો)ના સાઢુભાઇ, સિકંદર, રિયાઝના સસરા, અવૈશ, સાકીર, મુનાફ, મોહમંદ, હશનૈનના દાદા, હાજી ધુલ્લા, હાજી અભુભખર આમદના મામાઇ ભાઇ તા. 1-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-4-2026ના શુક્રવારે સવારે 10થી 11 ચાકી જમાતખાના, મહેંદી કોલોની ખાતે.

ગોધરા (તા. માંડવી) : લાખા હલીમાબાઈ હાજીઅદ્રેમાન (ઉ.વ. 80) તે મ હુસેન, ઉંમર (મામલા), નૂરમોહમ્મદ, આધમ (સુમાર), અબુબખરના માતા, કાસમ (ધૂલ્લો), અસગર, મોહમ્મદ શરીફ, ઈર્શાદ, આબીદ, ઇમ્તિયાઝ, અકીલ, આરીઝના દાદી, ચવાણ ઇશાક, સોઢા આધમ, સમેજા સુલેમાનના સાસુ તા. 1-4-2026ના અવસાન પામ્યા છે. વાયઝ-જિયારત તા. 3-4-2026ના શુક્રવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, ગોધરા ખાતે.

ઝરપરા (તા. મુંદરા) : નાંગસીભાઇ (ઉ.વ. 52) તે પત્રામલ કલ્યાણ ગેલવાના પુત્ર, પુનસી, મેઘરાજ, ભાણબાઇના પિતા તા. 14-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ખટાંણા વાડીએ. ઉત્તરક્રિયા (પાણી) તા. 11-4-2026ના એ જ સ્થળે.

મોટી તુંબડી (તા. મુંદરા) : જાડેજા જામબા દાદુભા (ઉ.વ. 90) તે નવુભા, અલુભા, પથુભા, ભરતાસિંહ, પીરદાનાસિંહ, અર્જુનાસિંહના માતા, જાડેજા જેઠમાલાસિંહ ઓનાળાસિંહ, ખેતુભા ઓનાળાસિંહ, જાડેજા પુંજુભા ભારથાજી, જાડેજા નથુભા ભીમજીના કાકી, સ્વરૂપાસિંહ નવુભા, વિક્રમાસિંહ નવુભાના દાદી, સોઢા ઓનાજી ખીરાજીના સાસુ, જાડેજા સરદારાસિંહ ચમજીના ભાભી, જાડેજા સવાઈસિંહ મોહબતાસિંહના માસી તા. 31-3-2026નાઅવસાન પામ્યા છે. બેસણું તા. 2-4થી 4-4-2026ના કોમ્યુનિટી હોલ, મોટી તુંબડી ખાતે.

મોરગર-યક્ષ (તા. નખત્રાણા) : રાઠોડ નીતિનાસિંહ (ઉ.વ. 22) તે રાઠોડ આમરજી વેસરજીના પુત્ર, નીતાબા (પાનધ્રો), રીનાબા, મહિપતાસિંહ, વિક્રમાસિંહના ભાઈ, મહેન્દ્રાસિંહ જેમલજી રાઠોડના ભત્રીજા, જાડેજા વિજયરાજાસિંહ (પાનધ્રો)ના સાળા, વાઘેલા ગુલાબાસિંહ ભીખુભા (મુજપુર)ના ભાણેજ તા. 29-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, મોરગર (યક્ષ) ખાતે અને ઘડાઢોળ (બારસ) તા. 7-4-2026ના મંગળવારે  નિવાસસ્થાન મોરગર (યક્ષ) ખાતે.

સુડધ્રો મોટી (તા. અબડાસા) : સમા અમીબાઇ (ઉ.વ. 68) તે સમા ઇબ્રાહિમ હાજીઅલીના પત્ની, સમા ઉમર, સમા જાકબ, સમા સુલેમાનના માતા, સમા આધમ મુસા, સમા રમજાન મુસા, સમા સાલેમામદ મુસા, સમા અભૂ મુસા (જડોદર)ના બહેન, સમા હુસેન સિધીકના મોટી, નાસીર, સકીલ, હમીદ, સોહિલના દાદી, મંધરા ઈબ્રાહિમ સિધીક (નાની ધુફી), ચૌવાણ રઝાક જાકબ (સુડધ્રો), સમા મોહમદ હુસેન (ગાંધીધામ)ના સાસુ તા. 31-3-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 2-4-2026ના ગુરૂવારે સવારે 10.30 વાગ્યે જામાં મસ્જિદ કંપાઉન્ડ, મોટી સુડધ્રો ખાતે. 

Panchang

dd