કોલકાતા, તા. 20 : કેકેઆરના મિસ્ટ્રી
સ્પિનર વરુણ ચક્રવર્તીએ ખુલાસો કરતા જણાવ્યું કે રાજસ્થાન રોયલ્સ સામેની જીત બાદ ડ્રેસિંગ
રૂમમાં ખેલાડીઓ ભાવુક થઇ ગયા હતા. કેકેઆર ટીમ માટે આઈપીએલની વર્તમાન સીઝન સારી રહી
નથી. 6 મેચ બાદ પહેલી જીત નસીબ થઇ છે. એક મેચ પંજાબ સામેનો
વરસાદની ભેટ ચડી ગયો હતો. આથી કેકેઆર હાલ પોઇન્ટ ટેબલ પર 3 અંક સાથે નવમા સ્થાને છે. રાજસ્થાન સામેની મેચમાં વરુણે
ફોર્મ વાપસી કરીને 14 રનમાં 3 વિકેટ ઝડપી હતી. મેચ પછી વરૂણે જણાવ્યું કે આ જીત પછી
ડ્રેસિંગ રૂમમાં ઘણા ખેલાડીની આંખમાં આંસુ હતા. આ માહોલ 2024ની જીતથી પણ વધુ ભાવુક હતો. અત્રે એ ઉલ્લેખનિય છે કે
આઇપીએલ ઈતિહાસમાં મુંબઈ ઇન્ડિયન્સે 2022માં
સતત 8 હાર સહન કરી હતી. જયારે દિલ્હી (2013) અને આરસીબી (2019)એ
તેમના શરૂની 6 મેચ ગુમાવી હતી. વરૂણે કહ્યું અમે ટીકાઓ પર ધ્યાન આપ્યું
ન હતું. આ જીતથી એટલું સ્પષ્ટ છે કે કોઇ પણ ટીમ અમને આસાનીથી પાર કરી શકશે નહીં. વરૂણે
તેની સફળતાનું શ્રેય કોચ અભિષેક નાયરને આપ્યો હતો.