નવી દિલ્હી તા.21 : આઇપીએલ-202પ સીઝનના
લીગ રાઉન્ડની મેચો સમાપ્ત થવાને હજુ એક સપ્તાહનો સમય બાકી છે, પણ રાજસ્થાન રોયલ્સની સફર સમાપ્ત થઇ ચૂકી છે.
તેની 14 મેચ પૂરી રમાઇ ગઇ છે. ગઇકાલે
રાજસ્થાને તેની અંતિમ લીગ મેચમાં સીએસકે વિરૂધ્ધ 6 વિકેટે પ્રોત્સાહક વિજય પ્રાપ્ત કરી આઇપીએલ-202પમાંથી વિદાય લીધી છે. તેના
ખાતામાં 10 હાર અને 4 જીત રહી છે. ચેન્નાઇ સામેની જીત પછી રાજસ્થાન રોયલ્સના બેટિંગ
કોચ વિક્રમ રાઠોડે પત્રકાર પરિષદમાં સ્વીકાર્યું કે અમે કેટલીક આસાન મેચ ગુમાવી. જે માટે અમારી ભુલો જ જવાબદાર હતી.
અમે ત્રણેય વિભાગમાં અને ખાસ કરીને ફિલ્ડીંગમાં સારો દેખાવ ન કર્યોં. અમે પાંચ બેટધરને
જાળવી રાખ્યા હતા. તેઓ ઘણા મોકા પર ધારણા મુજબનો દેખાવ કરી શકયા નહીં. નવી સીઝનમાં
અમે નિશ્ચિતરૂપે વાપસી કરશું. ખાસ કરીને અમારી બેટિંગ લાઇન અપ વધુ મજબૂત જોવા મળશે.
14 વર્ષીય વૈભવ સૂર્યવંશી વિશે
બેટિંગ કોચ વિક્રમ રાઠોડે કહ્યંy કે તેની પાસે
નિરંતરતા છે. તે દરેક મેચમાં સારૂ કરી રહ્યો છે. તે એક વિશેષ ખેલાડી બની શકે છે.