મુંબઇ, તા. 20 : આઇપીએલ-202પ સીઝનનો ફાઇનલ મુકાબલો 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
પર રમાશે. બીસીસીઆઇ આજે પ્લેઓફ રાઉન્ડના સ્થળ જાહેર કર્યાં છે. પ્લે આઓફ મેચો મુલ્લાંપુર
અને અમદાવાદમાં રમાશે. ભારત-પાકિસ્તાન વચ્ચેની યુધ્ધની સ્થિતિની લીધે આઇપીએલ એક સપ્તાહ
માટે સ્થગિત થયા બાદ આ પછી બીસીસીઆઇના બાકીના મેચોનું કાર્યક્રમ જાહેર કર્યું હતું.
જયારે પ્લેઓફ રાઉન્ડના મેચના સ્થળ જાહેર કર્યાં ન હતા. જે હવે આજે જાહેર કર્યાં છે.
અગાઉ ફાઇનલ મેચ કોલકતામાં રમાવાનો હતો. પ્લેઓફ રાઉન્ડની મેચ ચંદિગઢ નજીક મુલ્લાંપુર
અને અમદાવાદમાં રમાશે. મુલ્લાંપુરમાં 29 મેના પહેલી કવોલીફાયર
મેચ રમાશે. આ પછી 30મીએ એલિમિનેટર
મુકાબલો રમાશે. જયારે અમદાવાદ ખાતે 1 જૂને બીજી કવોલીફાયર મેચ રમાશે અને 3 જૂને ફાઇનલ મેચ રમાશે. આ ઉપરાંત દક્ષિણ
ભારતમાં ખરાબ મોસમ હોવાથી આરસીબી અને સનરાઇઝર્સ વચ્ચેનો 23મીએ રમાનારી મેચ લખનઉ શિફટ ખસેડાઇ છે. જે
નિર્ધારિત કાર્યક્રમ અનુસાર બેંગ્લુરુ ખાતે રમાવાની હતી. આથી સનરાઇઝર્સ ટીમ લખનઉમાં
રોકાઇ ગઇ છે. આરસીબી તેની અંતિમ લીગ મેચ પણ એલએસજી વિરૂધ્ધ લખનઉમાં 27મીએ રમવાની છે.