કોલકતા, તા. 7 : ઈન્ડિયન પ્રીમિયર લીગની બુધવારે
રમાયેલી 57મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા
નાઈટ રાઈડર્સને 2 વિકેટે હરાવ્યું
હતું. કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઇડર્સે ટોસ જીતીને પ્રથમ બાટિંગ
કરવાનો નિર્ણય લીધો હતો. કેકેઆરએ 20 ઓવરમાં 6 વિકેટે 179 રન બનાવ્યા હતા, જેની સામે સીએસકેએ 19.4 ઓવરમાં 8 વિકેટે 183 રન બનાવ્યા હતા. ચેન્નાઈએ 6 વર્ષ પછી 180 કે તેથી વધુ
રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. સીએસકે સામે હાર્યા બાદ કેકેઆર ટીમ પ્લેઓફની રેસમાં
રહેવાની સંભાવનાઓ લગભગ સમાપ્ત થઈ છે. જીતના ઈરાદે મેદાને ઊતરેલી સીએસકે વતી બ્રેવિસે
25 દડામાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 52 રન બનાવ્યા હતા, તો શિવમે 40 દડામાં 2 ચોગ્ગા-3 છગ્ગા સાથે 45 રન ઝૂડયા હતા. ઉર્વિલે 31, તો અણનમ રહેલા ધોનીએ 17 રન કર્યા હતા. કેકેઆરના વૈભવે 48 રન આપી 3 વિકેટ લીધી હતી, જ્યારે હર્ષિત અને વરુણને 2-2 વિકેટ સાંપડી હતી. અગાઉ એક
પણ બેટધરની અર્ધસદી ન હોવા છતાં ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધની બુધવારની કરો યા મરો
સમાન મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ 20 ઓવરના અંતે 6 વિકેટે 179 રનના પડકારરૂપ
સ્કોર સુધી પહોંચવામાં સફળ રહ્યંy હતું. સીએસકે
તરફથી અફઘાનિસ્તાની સ્પિનર નૂર અહમદે 31 રનમાં 4 વિકેટ ઝડપી
હતી, જ્યારે કેકેઆર તરફથી કેપ્ટન અજિંકયા રહાણેએ
48 રનની સર્વાધિક ઇનિંગ્સ રમી
હતી. ઇડન ગાર્ડન પર કેકેઆર કેપ્ટન રહાણેએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી. જો કે, 11 રને જ રહમતુલ્લાહ
ગુરબાજ (11)ની વિકેટ ગુમાવી દીધી હતી.
બાદમાં સુનીલ નારાયણ અને કેપ્ટન અજિકયા રહાણેએ અનુક્રમે 26 અને 48 રનની ઇનિંગ્સ રમી હતી. રહાણેએ
33 દડાની ઇનિંગ્સમાં 4 ચોગ્ગા-2 છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે મનીષ પાંડે 28 દડામાં 1 ચોગ્ગા-1 છગ્ગાથી 36 રને નોટઆઉટ રહ્યો હતો. ઓલરાઉન્ડર
રસેલે 21 દડામાં 4 ચોગ્ગા-3 છગ્ગાથી 38 રનની ઝડપી
ઇનિંગ્સ રમીને કેકેઆરનો સ્કોર 1પ0 સુધી પહોંચાડયો હતો. રિંકુ સિંહ 9 રન જ કરી શકયો હતો. અંતમાં કેકેઆરની ઇનિંગ્સ
7 વિકેટે 179 રને સમાપ્ત થઇ હતી. સીએસકે તરફથી નૂર અહમદની 4 વિકેટ ઉપરાંત અંશુલ કમ્બોજ અને રવીન્દ્ર
જાડેજાને 1-1 વિકેટ મળી હતી.