નવી દિલ્હી, તા. 30 : સુપ્રીમ કોર્ટે
દેશની અદાલતોને અસંગત નિર્ણય ન લેવા તાકીદ કરી કહ્યું છે કે વિવિધ ખંડપીઠોના અસંગત
ચુકાદાઓથી જનતાનો વિશ્વાસ ડગમગે છે. તેમાં એકરુપતા હોવી એ જવાબદાર ન્યાયપાલિકાની ઓળખ
છે. સુપ્રીમમાં ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હા અને ન્યાયમૂર્તિ જોયમાલા બાગચીની ખંડપીઠે
લગ્ન અંગેનાએક મામલામાં સુનાવણી દરમ્યાન આ ટિપ્પણી કરી હતી. કર્ણાટક હાઈકોર્ટની બે
અલગ અલગ એકલ ખંડપીઠોના વિરોધાભાસી ચુકાદા આવ્યા હતા. મામલો પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો
હતો. જે અંગે સુપ્રીમે કહયુ કે અલગ અલગ ખંડપીઠથી આવતાં અસંગત ચુકાદા જનતાના ભરોસાને
ઘટાડે છે અને કેસને સટ્ટાબાજીના ખેલમાં બદલી નાંખે છે. સુપ્રીમે ઉમેર્યુ કે હાઈકોર્ટના
ન્યાયાધીશે એવું કહીને ખૂદને ગુમરાહ કર્યા કે કાર્યવાહી દુર્ભાવનાપૂર્ણ હતી અને અદાલતની
પ્રક્રિયાનો દુરુપયોગ હતો.