ગાંધીધામ, તા. 22 : અંજારના અજાપરમાં રહેનાર અંતરા
સાગર બર્મન (ઉ.વ. 16) નામની કિશોરીએ
ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. બીજી બાજુ નાની ચીરઈમાં પાણીનાં નાળાંમાં
ડૂબી જતાં 40થી 45 વર્ષીય અજાણ્યા યુવાને જીવ ખોયો હતો. અજાપરમાં ગઈકાલે બપોરના અરસામાં આપઘાતનો બનાવ બન્યો
હતો. અહીં રહેનાર અંતરા નામની 16 વર્ષીય કિશોરીએ
પંખામાં દુપટ્ટો બાંધીને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો. 16 વર્ષીય આ કિશોરી પરિણીત અને
તેનો લગ્નગાળો સાત મહિનાનો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું હતું. તેઓએ કેવા કારણોસર
અંતિમ પગલું ભર્યું હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. બીજી બાજુ ભચાઉના નાની
ચીરઈમાં ગોયલ સોલ્ટ કંપનીની બાજુમાં પાણીનાં નાળાંમાં અપમૃત્યુનો બનાવ બન્યો હતો. આ
નાળાંમાં 40થી 45 વર્ષીય અજાણ્યો માનસિક અસ્થિર જેવો લાગતો પુરુષ ડૂબી જતાં તેનું
મોત થયું હતું. તે કોણ છે તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.